У нас вы можете посмотреть бесплатно રીંગણીનાં વાવેતરની સાચી પદ્ધતિ || Correct Method of Planting Eggplant или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સામાન્ય માહિતી શાકભાજીના પાકો જેવા કે, રીંગણ,ટમેટી, મરચી, ડુંગળી, કોબીજ, ફુલ કોબીજ વિગેરેમા ધરૂ તૈયાર કરીને તેની ફેરરોપણી કરવામા આવે છે. ધરૂવાડિયા માટે સારી ફળદ્રુપતાવાળી, સારા નિતારવાળી, પાણી ભરાય ન રહેતુ હોય તેમજ નિંદામણ મુકત હોય તેવી જમીન પસંદ કરવી જોઈએ. પસંદ કરેલ જમીનને ઉનાળામાં ટ્રેકટર અથવા હળથી ઉંડી ખેડ કરીને તપવા દેવી. મે મહિના દરમ્યાન પિયત આપી ઓરવાણ કરવું. વરાપ થયા બાદ જમીન ઉપર ઘઉં કે બાજરાના પરાળ કે ઢુંસા અથવા નકામુ ઘાસ પાથરી ૬ ઈંચ જેટલો થર બનાવવો. આ ઘાસને પવનની દિશા ધ્યાનમા રાખીને આજુબાજુ આગથી નુકશાન ન થાય તે રીતે સળગાવવું. આ પધ્ધતિને ''રાબીંગ'' કહેવામા આવે છે, જો આ પધ્ધતિ શકય ન હોય તો, લીનીયર લો ડેન્સીટી પોલીથીલીન (એલ એલ ડીપીઈ) નામના પોલીસ્ટરમાથી બનેલા ૧૦૦ ગેઈઝ જાડાઈના પારદર્શક પ્લાસ્ટીકને પહેલાથી પાણી આપીને તે જમીન ઉપર ઉનાળા દરમ્યાન પાથરી ચારે તરફથી કિનારી માટી વડે ઢાંકીને ૧પ દિવસ સુધી પાથરવામા આવે છે ત્યારે પ્લાસ્ટીકના પડની નિચે ખુબ જ ગરમી ઉત્પન્ન થાય છે. આ બન્ને પધ્ધતિથી જમીનમા રહેલ કિટકોના કોશેટા, જીવ જંતુ, રોગના જીવાણું, ફુગ, કૃમિ તેમજ નિંદણના બીજનો નાશ થાય છે. જમીનના ઢાળને ધ્યાનમા રાખી, વધારાના પાણીનો નિકો ધ્વારા નિકાલ થાય તે રીતે ગાદી કયારા બનાવવા. સામાન્ય રીતે ગાદી કયારાનું માપ ૪ થી પ મીટરની લંબાઈ, પહોળાઈ બે થી અઢી મીટર અને ઉંચાઈ ૧પ સે.મી. જેટલી રાખવામા આવે છે, ગાદી કયારા તૈયાર થયે મધ્યમા અડધા થી પોણા મીટરના અંતરે ઈંટોની લાઈન ગોઠવવી. જેથી પાણીનો છંટકાવ, નિંદામણ કાર્ય તેમજ પાક સંરક્ષણ માટેની દવાઓ છાંટવામા અનુકુળતા રહે. બીજની રોપણી કરતા પહેલા ગાદી કયારામા હળવુ પિયત આપવુ. વરાપ થયેલ કયારાની જમીનને ખોદી રાસાયણીક ખાતરો તથા કાર્બાફયુરાન ૩ જી. ગુંઠા દીઠ ૩૦૦ ગ્રામ પ્રમાણે મિશ્રણ કરી કયારામાં આપવું. ત્યારબાદ પંજેઠી મારી કયારાને સમતલ કરવા. આ સમતલ કરેલ કયારામા પંજેઠીના દાંતાથી ૧૦ સે.મી.ના અંતરે છીછરા એકસરખા ચાસ ખોલીને તેમાં કયારા દીઠ નકકી કરેલા બીજના જથ્થામા ઝીણી રેતી ભેળવી દરેક ચાસમા બીજ સરખા અંતરે અને સરખા માપે નાખવા. બીજને વાવેતર કરતા પહેલાં પારાયુકત દવાનો પટૃ એક કિલોગ્રામ બીજમા ત્રણ ગ્રામ પ્રમાણે આપવો. બીજને ચાસમા વાવ્યાબાદ ઉપર માટી ભભરાવીને અથવા સાવરણો મારીને તેની ઉપર સુકા ધાસ કે પાંદડાનુ આવરણ કરવુ. જેથી જમીનમા ભેજ અને ગરમીનો સંગ્રહ થવાથી બીજનો ઉગાવો સારો થશે. તેમજ ઉગતા કુમળા ધરૂને વરસાદ કે ગરમીને લીધે નુકશાન થતુ અટકશે. ધરૂવાડિયામા જરૂરીયાત મુજબ ઝારા કે ફુવારાના મદદથી પાણી આપતા રહેવુ. બીજનો ઉગાવો સારો થયા બાદ ઘાસનુ આવરણ સમયસર દુર કરવુ. બીજ ઉગી ગયા બાદ ધાસ કચરો બરાબર વીણીને દુર કરી, ૬ઃ૬ઃ૧૦૦ પ્રમાણનુ બોર્ડોમિશ્રણ આપવુ, જેથી ધરૂના કોહવારાઓનું નિયંત્રણ થઈ શકે. ધરૂવાડિયાને સતત નિંદામણ મુકત રાખવુ. Information by વિકાસપીડીયા