У нас вы можете посмотреть бесплатно પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે કેશવ વસ્તી દ્રારા હિન્દુ મહા સંમેલન યોજાયું.. નર માંથી નારાયણ બનવાની или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે કેશવ વસ્તી દ્રારા હિન્દુ મહા સંમેલન યોજાયું.. નર માંથી નારાયણ બન વાની કુશળતા આરએસ એસ શીખવે છે : પ્રો. નવીનભાઈ પ્રજાપતિ.. સંતો- મહંતો સહિત મોટી સંખ્યામાં સનાતન પ્રેમી હિન્દુ પરિવારો ઉપસ્થિત રહ્યા.. પાટણ તા. 14 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને 100 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી અંત ર્ગત પાટણ શહેરના 15 જેટલા જુદા જુદા વિસ્તા રોમાં હિન્દુ સંમેલનના આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરના ટેલિફોન એક્સ ચેન્જ થી ગાયત્રી મંદિર અને લીલી વાડી વિસ્તાર ના કેશવ વસ્તીના રહીશો મા પણ સમરસતાનો ભાવ પ્રગટ થાય તેવા શુભ સંકલ્પ સાથે તા.14 મી ફેબ્રુઆરી ને શનિવારે સાંજે 4-00 કલાકે શહેર ના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને ધર્મ નગરી એવી પાટણ નગરી જે એક સમયની ગુજરાત ની રાજધાની હતું .તેવા વૈભવશાળી પાટણ નગર માં આયોજિત આ હિન્દુ મહા સંમેલનમાં આપણી પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ અને તેનો પુત્ર રૂપ હિંદુ સમાજ એક વિરાટ રાષ્ટ્રના રૂપમાં એક થઈ પોતાની અસ્મિતાની ઓળખ પુનઃ પ્રાપ્ત કરે અને સમાજમાં સમરસતા પ્રસ્થાપિત થાય તથા પ્રત્યેક હિન્દુ ભાઈ-બહેનો ભાઈચારાની ભાવના કેળવી દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવે એ હેતુથી કેશવ વસ્તીના હિન્દુ મહા સંમેલનમાં સંતો-મહંતો અને શ્રેષ્ઠી ઉપસ્થિતિ રહ્યા હતા. આ કેશવ વસ્તી હિન્દુ સંમેલનમાં સંત શ્રી વસંત ગીરી ગુરુ કલ્યાણ ગીરી મહારાજ શ્રી વિજય હનુમાન આશ્રમ તેમજ આ સંમેલનના સંયોજક યશપાલભાઈ સ્વામી,ડો. જય ધ્રુવ, પ્રો. નવીનભાઈ પ્રજાપતિ તથા ઊંઝા થી લેખિકા શ્રીમતી વિમળા બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ પોતાના વક્ તવ્યમાં ધર્મ દેશ પ્રત્યેની ભાવના તેમજ આપણી નૈતિક ફરજો તથા સર્વ હિંદુ સમાજ સમરસતા પૂર્વક હળી મળીને રહે અને સ્વદેશી ચીજ વસ્તુઓ જ ઘરમાં ઉપયોગ કરીએ તથા વિધર્મીઓની જાળમાં ક્યાંય બહેન દીકરીઓ ફસાઈ ન જાય તે બાબતે ડો.બાબુભાઈ પ્રજાપતિ અને અમીબેન મોદી દ્વારા સંવાદ રજૂ કરાયો હતો. તેમજ દીકરીઓ દ્વારા તલવારબાજીની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે જીજા બાઈ દ્વારા સુંદર અને અસરકારક શિવાજીને શીખ આપતું વક્તવ્ય એક દીકરી દ્વારા રજુ કરવામાં આવ્યું હતું અને એક દીકરા દ્વારા શિવાજી મહારાજનું સુંદર વક્તવ્ય ધારદાર શબ્દોમાં રજૂ કરવામાં આવેલ. આ હિન્દુ સંમેલનમાં ખૂબ જ સુંદર વક્તવ્ય જે દેશભક્ત બનવા અને નૈતિક ફરજ બાબતે તેમજ આરએસએસ શું છે તેની કામગીરી શું છે એ બાબતે જણાવવામાં આવ્યું હતું. નર માંથી નારાયણ બન વાની કુશળતા આરએસ એસ શીખવે છે તે બાબતે સમજ આપવામાં આવી હતી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સંમેલનના સમાપન બાદ ઉપસ્થિત સૌએ સમરસતાના ભાવ સાથે સમૂહમાં સાત્વિક ભોજન ગ્રહણ કર્યું હતું. કેશવ વસ્તી દ્રારા આયો જિત આ હિન્દુ મહા સંમે લન ને સફળ બનાવવા સંમેલન સમિતિના કાર્ય કરો એ જહેમત ઉઠાવી હતી.