Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ધ્યાન સાધના નું સાતત્ય જાળવવા માં આવતા અવરોધો. Disturbances in Doing Continues Meditation. в хорошем качестве

ધ્યાન સાધના નું સાતત્ય જાળવવા માં આવતા અવરોધો. Disturbances in Doing Continues Meditation. 8 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ધ્યાન સાધના નું સાતત્ય જાળવવા માં આવતા અવરોધો. Disturbances in Doing Continues Meditation.

આ વિડિઓ ગુરુજી વિશાલભાઈ પંડ્યાજી એ એક સાધક ના પ્રશ્ન ના સંદર્ભ માં બનાવેલો છે કે જેથી કરી ને સાધકો ને માર્ગદર્શન મળે અને દૈનિક દિનચર્યા માં આવતા અવોરોધો ને કઈ રીતે સમજવા અથવા તો આપણા મન ની રમત ને કઈ રીતે સમજવી અને એમાંથી આપણી સાધના ને અખંડિત રીતે કઈ રીતે આગળ લઇ જવી એના વિષે આ વિડિઓ છે. ગુરુજી વિશાલભાઈ એ મન ની મૂળભૂત પ્રકૃતિ વિષે વાત કરી કે મન સાધારણ રીતે કોઈ પણ નવી સમજ ને જલ્દી થી પહેલી વખત માં સ્વીકારતું નથી અને મન ને આપણે વારે ઘડીયે એના વિષે સમજ આપવી પડે છે અને એને વાળવું પડે છે. એને એવું વાતાવરણ આપવું પડે છે કે જેને લીધે એ સમજ ને ગ્રહણ કરવા જેટલું પરિપક્વ થાય. એટલે કે મન ને પણ ઘા પાડવા જોઈએ તોજ એ સંસ્કાર ને પકડે છે. મન ને મનાવવા માટે બે મહત્વ ની બાબત જરૂરી છે, એક તો વારંવાર યાદ રાખવું અને બીજું છે યોગ્ય વાતાવરણ. એટલે જ આપણે ને શીખવાડવા માં આવ્યું છે કે વારંવાર ખોટું નહિ બોલવું કેમ કે મન એની આદત મુજબ ખોટું પણ પકડી લેશે. જેમ એ સાચું પકડે છે એમ એ ખોટું પણ પકડે છે. ગુરુજી એ વિધાર્થી કાળ નું ઉદાહરણ આપી ને સમજ આપી કે આપણું મન કઈ રીતે સમય વેડફાતું હોય છે. જે સમયે આપણે નક્કી કર્યું હોય કે આ કરવું જ છે એ સમયે આપણું મન કૈક ને કૈક બહાનું કાઢી ને આપણને ચાતકકવા પ્રયત્ન કરશે અને આપણેં એટલા સમય માટે બચી પણ જઇયે પણ એ વેડફાયેલો સમય પાછળ થી આપણા પર બહુ જ ભાર અને સ્ટ્રેસ નિર્માણ કરશે અને ત્યારે આપણી પાસે એટલી બધી તૈયારી કરવાનો સમય પણ નહિ હોય. ગુરુજી વિશાલભાઈ પંડ્યાજી એ પોતાના જીવનની ઘટના ના આધારે આપણને સમજાવ્યું કે માણસ ની પાયા ની મૂળભૂત જરૂરિયાત હોય તો એ છે ખોરાક એટલે કે ખાવાનું. માણસ પાસે બીજી બધી ચીજ વસ્તુ ઓ ઓછી હશે તો એકવાર ચાલશે પણ એને ખાવાનું નહિ મળે તો એ બેચેની અને દુઃખ નો અનુભવ કરશે. ગમે એટલી વિકટ પરીસ્થીથી હોય પણ માણસ નું શરીર તો એનું એ કાર્ય કરશે અને જરૂરિયાત મુજબ ભૂખ નું નિર્માણ પણ કરશે પછી ભલે બહાર ની કે આંતરિક માનસિક અવસ્થા ગમ્મે તેવી હોય પણ દેહ એની જરૂરિયાત મુજબ ની ડિમાન્ડ ઉભી કરશે. સાધક ના પ્રશ્ન ના સંદર્ભ માં ગુરુજી એ બહુ મહત્વ ની અને બહુ મોટી વાત કહી કે બાહ્ય અથવા તો આંતરિક અવરોધો તો આવશે જ કેમ કે એ આપણા હાથ ની વાત તો નથી પણ થઇ એ રહ્યું છે અને હકીકત એ છે કે આપણે પણ ઘણી વાર નાના નાના અવરોધો થી વિચલિત થઇ જતા હોઈએ છીએ અને આપણી સાધન ને પડતી મૂકી દેતા હોઈએ છીએ જે લાંબે ગાળે આપણને જ નુકશાન કરે છે અને પાછળ ધકેલે છે. આપણી ગણતરી એવી હોય છે કે બધી જ સુવિધાઓ, જીવન ના ટાર્ગેટ, ઈચ્છાઓ પુરી કરી ને સાધન ના માર્ગ પર આગળ વધશું પણ જ્યાં સુધી બધા જ ટાર્ગેટ પુરા કરાવના હોય છે ત્યાં સુધી તો જીવન નો સમય પણ પૂરો થવા આવ્યો હોય છે અને આજ સંસાર અને વ્યવહાર ની સામાજિક હકીકત છે જેને આપણે નકારી ના શકીયે. જો ખરેખર સાધના કરવી હશે થવા તો કૈક મહત્વ નું કાર્ય કરવું હશે તો આપણે ગમે તેમ કરીને પણ સમય ને સાચવી લઈશું અને સાધના ને આગળ વધારતા રહીશું. સિદ્ધયોગી ગુરુજી શ્રી વિશાલ ભાઈ દ્વારા કુંડલિની શક્તિપાત દીક્ષા નો કાર્યક્રમ સિદ્ધયોગ આશ્રમ, દેરોલી, નારેશ્વર નજીક, કરજણ નારેશ્વર હાઇવે, ગુજરાત ખાતે રાખવામાં આવે છે. જેમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે મૂળચંદભાઈ ચૌહાણ - +91-9825550358, નરેન્દ્ર પંડ્યા - +91-9825658573, રાકેશ દવે - +91-9408720452 નો સંપર્ક કરવો. શક્તિપાત લેવા પહેલા ગુરુજી ની પદ્ધતિનું ધ્યાન મિનિમમ 3 વખત કરેલું હોવું જરૂરી છે. કુંડલિની જાગૃત થયેલ વ્યક્તિ ને ઉંડું ધ્યાન સહજ રીતે લાગે છે. આખો દિવસ પ્રાણ ઉર્જા એક મેક્ઝીમમ લેવલથી વધવાથી વ્યક્તિ પ્રાણ ઉર્જા થી ભરેલો રહે છે. રિલેક્સ, આનંદમય રહે છે. સાક્ષી ભાવ, દ્રષ્ટાભાવ અંદરથી સહજ રૂપે આવી જાય છે. અને હીલર -પ્રાણ ચિકિત્સક બનવાની ક્ષમતા આવવા થી વ્યક્તિ ગુરુ ની વાતો આંધળી રીતે માનવા ને બદલે પ્રાણ ઉર્જા ના પ્રયોગો જાતે કરતો થઈ જાય છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી અધ્યાત્મ વિજ્ઞાન સમજી શકે છે. ધ્યાન કેવી રીતે કરવું, થિયરી અને પ્રેક્ટિકલ How to Do Meditation Gujarati Theory and practical    • How to do Meditation (Gujarati) ધ્યાન...   શક્તિપાત થી કુંડલિની જાગૃતિ શા માટે? Why Kundalini awakening through Shaktipat?    • Why Awakening Kundalini through Shakt...   શક્તિપાત પહેલા ની સૂચનાઓ Instructions Before Shaktipat    • Instructions before Shaktipat Initiat...   શક્તિપાત પછી ની સૂચનાઓ Instructions After Shaktipat    • Instructions After Kundalini Shaktipa...   -------------------------------------------------------------------------------------------------------------------------------------------------- સિધ્ધયયોગ ની એડવાન્સ વર્કશોપ / શિબિર માટે નોર્થ અમેરિકા ના નીચે આપેલા સંપર્ક સૂત્રો નો કોન્ટકટ કરો અને સાથે સિદ્ધયોગ ધ્યાન મંડળ ની ધ્યાન ને લગતી વધારે પ્રવૃતિઓ માટે ની માહિતી માટે www.siddhyog.org વેબ સાઈટ પણ ચેક કરો. Mr. Mihir Oza (મિહિર ઓઝા): +1 856-278-2015 – California (કેલિફોર્નિયા) Mr. Amit Patel (અમિત પટેલ): +1 609-504-9461 – New Jersey (ન્યૂ જર્સી) Mr. Biren (બીરેન): +1 914-826-6916 – New York (ન્યૂ યોર્ક) Mr. Venkat (વેંકટ): +1 412-228-8393 – Pittsburg (પિટ્સબર્ગ) Mr. Hitesh Joshi (હિતેશ જોશી): +1 289-698-9025 – Canada (કેનેડા)

Comments