У нас вы можете посмотреть бесплатно પોરબંદર સિવિલ હોસ્પિટલના રેઢિયાળ વહીવટ સામે ભાજપ અગ્રણી મેદાને или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
પોરબંદર જિલ્લાની સૌથી મોટી સરકારી ભાવસિંહજી હોસ્પિટલનો વહીવટ દિવસે-દિવસે ખાડે જઇ રહ્યો છે અને ભાજપના જ યુવાનેતાએ તેનો ભાંડાફોડ કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે પોરબંદર માં રેઢિયાળ વહીવટ માટે જાણીતી ભાવસિંહજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદ માં આવી છે પોરબંદર ના ભાજપ અગ્રણી અજયભાઈ બાપોદરા એ ઉચ્ચ કક્ષા એ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેઓને સર્જરી કરવાની હતી પરંતુ શનિ-રવિ હોવાના લીધે સર્જરી થઈ ના હતી બને દર્દીઓ ના ઓપરેશન પૂર્વે ના રીપોર્ટ તૈયાર હતા ,સર્જન પણ ઓપરેશન કરવા તૈયાર હતા પરંતુ એનેસ્થેટીક દ્વારા શનિ રવિ ની રજા ના કારણે ઓપરેશનમાં પણ રજા રખાઈ હતી અને દર્દી ને બે દિવસ આર્થિક, શારીરિક તકલીફો ભોગવવી પડી હતી માત્ર એનેસ્થેસિયા ના વાંકે દર્દી ને બે દિવસ પીડા ભોગવવી પડે, ખાટલો ભોગવવો પડે એ વાત અયોગ્ય છે એનેસ્થેસિયા માટે ૪ જેટલા ડોક્ટરો મેડિકલ કોલેજ માં જ છે તો શનિ -રવિ રજા કેમ? ભાવસિંહજી હોસ્પિટલ એ જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે જ્યાં જીલ્લાભર ના દર્દીઓ મોટી સંખ્યા માં સારવાર અર્થે આવે છે અને સાથે મેડિકલ કોલેજ પણ બની છે ત્યારે દર્દી ની એવી કઈ દુર્દશા કે કારણ વગર દુઃખ સહન કરવું. દર્દી માટે ધાબળા અને ઓશિકા પણ આપવાના હોય છે એ પણ આપવામાં આવી રહ્યા નથી .છેલ્લા કેટલાય સમયથી ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજચૂકો અને અવ્યવસ્થા વધી ગઈ છે જેનું સુધી પરિણામ જીલ્લાભર ના લોકો હાલાકી તરીકે ભોગવી રહ્યા છે. ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદરની સૌથી મોટી હોસ્પિટલ અને સાથે મેડિકલ કોલેજ ત્યારે દર્દી ની એવી કઈ દુર્દશા કે દુઃખ સહન કરવું અને એ પણ કારણ વિનાનું? ફરજ ના દ્રષ્ટિકોણથી કહો કે માનવતા ના દ્રષ્ટિકોણ થી ૪ માંથી એક ડોક્ટર તો આ કામ માટે રહી શકે જ. અજય બાપોદરા એ વધુ જણાવ્યું હતું કે મને ફોન આવ્યો અને મેં તપાસ કરી તો થોડી અજુગતી હકીકત જાણવા મળી.દર્દી નો શું વાંક ? કશું જ નહી અને જો આ રીતે રહ્યું તો લોકોને સરકારી હોસ્પિટલ ઉપર ભરોસો છે તે પણ નહી રહે . અજય બાપોદરા એ જયારે મેડિકલ સુપ્રિ ટેન્ડેન્ટ ને પૂછયું કે મસ મોટા પગારો લઈ ને ડોક્ટરો તાયફાઓ અને મોજ કરે છે તો આ બેદરકારી માટે શું નિર્ણય લઈ શકશો ? ત્યારે સુપ્રિટેન્ડેન્ટે એવું જણાવ્યું હતું કે આ માટે નિર્ણય લેવામાં આવશે જેથી લોકો ને મુસીબત ન વેઠવી પડે અને જરૂર જણાય તો ચોક્કસ આયોજન કરવામાં પણ આવશે. ત્યારે અજય બાપોદરા એ પણ જરૂર જણાય તો ઉચ્ચ કક્ષા એ રજૂઆત ની તૈયારી બતાવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સરકારી દવાખાનામાં ઘણી વખત સર્જરી હોવા છતાં તગડા સરકારી પગાર લઈ ગરીબ દર્દીઓને દુઃખ ભોગવવા માટે મુશ્કેલી મા છોડી દે છે આ જ રીતે પહેલા પણ અજય બાપોદરા યુવા મોરચા ના પ્રમુખ હતા ત્યારે ભાવસિંહજી હોસ્પિટલ માં ૯૫ લાખ મશીનરી માટે જહેમત ઉઠાવી હતી અને સુવિધા માં વધારો કર્યો હતો.અને તે સમય ના આરોગ્ય મંત્રીને સીવીલ હોસ્પીટલની મુલાકાત લેવી પડી હતી મેડિકલ કોલેજના ડીન સામે ભ્રષ્ટચાર ના આરોપ વિસ્તૃત રીતે લોકો સમક્ષ મૂક્યા હતા. પરંતુ હવે આ એનેસ્થેસિયા મુદ્દે થયેલી ગતિવિધિ માં આશા છે કે અજયભાઈ લોક હિતે ઝડપી નિરાકરણ લાવશે ઉલ્લેખનીય છે કે ભાવસિંહજી હોસ્પિટલ મેડીકલ કોલેજ બન્યા બાદ પણ અવારનવાર વિવાદ માં આવતી રહે છે પછી તે સ્ટાફ ના દર્દીઓ અને તેના સ્વજનો સાથે ગેરવર્તન હોય કે અન્ય કોઈ બેદરકારી પણ ભાવસિંહજી હોસ્પિટલ ને વિવાદ ને હમેસા નજીક નો નાતો રહ્યો છે તેમ છતાં અહીના સતાધીશો સેવા અને સુવિધા ના મોટા મોટા બણગા ફૂંકતા હોય છે ત્યારે મેડિકલ કોલેજ આશિર્વાદ રૂપ બનતી હોવી જોઈએ તેના બદલે તંત્ર ની ઉદાસીનતા ના કારણે શ્રાપ સાબિત થાય છે આથી બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરી શની રવી માં પણ ઓપરેશન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત માં જણાવ્યું છે