У нас вы можете посмотреть бесплатно Sandhya Aarti Darshan Salangpur Date 15-02-2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
મહાદેવના પાવન આશીર્વાદથી તમારું જીવન ભક્તિ અને દિવ્યતાથી ભરેલું રહે. શિવ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે.. મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો અને શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન કરાયું, લઘુરુદ્ર યજ્ઞની સાથે યોજાયો દિવ્યાંગ વંદના સમારોહ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સંપન્ન થયા હતા. શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો હતો. શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કોઠારી સ્વામી શ્રીવિવેકસાગરદાસજી અને પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા મંદિર પરિસરમાં આવેલાં નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુરધામ દ્વારા એક માનવતાવાદી અભિગમ સાથે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ 'દિવ્યાંગ વંદના સમારોહ'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયો. સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, આજે મહાશિવરાત્રીનું પર્વ છે. ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો છે વાઘા 7 દિવસની મહેનતે ગોંડલમાં તૈયાર કરાયેલા હતા. અને શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન કરાયું, લઘુરુદ્ર યજ્ઞની સાથે યોજાયો દિવ્યાંગ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. સર્વે ભક્તો સુખી થાય એવી ભગવાન મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે. આ પાવન અવસરે હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. Hello Devotees Jai Shri swaminarayan Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. http://salangpurhanumanji.org શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/de... #salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar #Mahashivratri #LordShiva #ShivratriVibes #OmNamahShivaya #DivineEnergy #HarHarMahadev 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩