У нас вы можете посмотреть бесплатно માધવીબેન ફળદુ_વીતક ચર્ચા_તા.05/02/2026_TARTAM SSMM શ્રી શ્યામાજી મહિલા મંડળ કાલાવડ is live! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ધામની સ્થાપના કરીને તેઓ અગિયાર વર્ષ સુધી પન્નામાં રહ્યા. તેમના મુખારવિંદથી વાણીનું અવતરણ થતું હતું. જેનો જામનગરથી પ્રારંભ થયો હતો અને પન્નામાં આવીને સંપૂર્ણ થઈ. તેઓ વિ.સં. ૧૭૫૧ માં પરમધામવાસી થયા. વાસ્તવમાં શ્રીપ્રાણનાથજી પરબ્રહ્મ પરમાત્માનું નામ છે. તેથી ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રાણનાથ કહેતી હતી. મેહેરાજ ઠાકુરે શ્રીદેવચંદ્રજીને પ્રાણનાથ કહ્યા છે. સુંદરસાથ શ્રીમેહેરાજ ઠાકુરમાં સદ્ગુરુનાં દર્શન કરીને તેમને જ પ્રાણનાથ કહેવા લાગ્યા. પ્રમોધપુરી : પ્રબોધ પુરી, જ્ઞાન - પ્રાપ્તિનું સ્થળ. જામનગરની જેલમાં મહામતિ શ્રીપ્રાણનાથજી દ્વારા રાસ, પ્રકાશ, પઋતુ અને કલશની વાણીનું અવતરણ થયું. પ્રહલાદ : પ્રહ્લાદ, દૈત્યરાજ હિરણ્યકશ્યપુનો પુત્ર. ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત. પિતાએ તેને મારી નાખવા માટે અનેક દુ:ખો આપ્યાં, પરંતુ નૃસિંહ અવતારે થાંભલામાંથી પ્રગટ થઈને તેની રક્ષા કરી. મહામતિ સત્યવાદીઓના નામોમાં સર્વપ્રથમ પ્રહ્લાદનું નામ લે છે. પાંચ તત્ત્વ : આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. પાંચ નહેરેં : અરબસ્તાનની જલધારાઓ, જે આગળ જતાં મળી ગઈ. વાણીમાં, મહામતિમાં પ્રગટેલી પાંચ શક્તિઓ જેના જળ વડે અતૃપ્ત આત્માઓને શાંતિ મળી. પુનૂં: પંજાબી લોકકથાનો નાયક. સસી નામની રાજ કન્યાનો પ્રેમી. પુનૂં ઘોડાના તબેલામાં કામ કરતો હતો. બન્નેમાં ઘનિષ્ઠ પ્રેમ હતો. તેઓ એકબીજા માટે મરીફીટવા તૈયાર હતા. મહામતિએ સંસારના લોકોના પ્રેમનું ઉદાહરણ આપીને, બ્રહ્માત્માઓને પોતાનો પ્રેમ ઓળખવા આગ્રહ કર્યો. પુખરાજ : પીળું રત્ન. પરમધામની ઉત્તર દિશાનો મહાન પર્વત. પુરાન : પુરાણ, પ્રાચીન અધ્યાત્મ કથાઓનો ઐતિહાસિક ગ્રંથ. કુલ અઢાર પુરાણો છે. તેમનાં નામ, બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, શિવ, ભાગવત, નારદ, માર્કન્ડેય, અગ્નિ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરુડ અને બ્રહ્માંડ પુરાણ. તે બધામાં અંતિમ પુરાણ શ્રીમદ્ભાગવતને માનવામાં આવે છે. મહામતિ શ્રીપ્રાણનાથજીએ પોતાની વાણીમાં ભાગવતના વિશિષ્ટ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. પુરુષોત્તમ : ઉત્તમ પુરુષ. પરબ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત શ્રીકૃષ્ણ, શ્રીરાજજી, પૂર્ણબ્રહ્મ. પુલસરાત : પુલેસિરાત, કુરાનમાં સ્વધામ જવા માટે દર્શાવવામાં આવેલો કઠણ ધર્મ માર્ગ. તલવાર સમાન ધારદાર પુલ, જેને મોમિનો વીજળીની જેમ ઊડીને પાર કરી દેશે. ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની ચાલની ગતિથી પાર કરશે. જીવસૃષ્ટિ તલવારની ધારમાં કપાઈને નરકમાં પડશે. પૂતના : એક રાક્ષસી, જે કંસના કહેવાથી શ્રીકૃષ્ણનો વધ કરવા માટે ગોકુલમાં નંદઘેર આવી હતી. શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતી વખતે જ તેનું મૃત્યુ થઈ ગયું. પૈગમ્બર : માનવોને ખુદાના સંદેશા આપવા માટે ઉતરેલા કતેબ પરંપરાના મહાપુરુષો. તેઓની સંખ્યા કુલ એક લાખ વીસ હજાર બતાવવામાં આવે છે. તે પૈકી સાત કલિમાવાળા (ખુદા સાથે