У нас вы можете посмотреть бесплатно 009 - SHREE SAMAYSAR PRAVACHAN - Pt. SHAILESHBHAI SHAH DT:19/02/2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
009 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR – MANGLACHARAN Pt. SHAILESHBHAI SHAH DT:19/02/2026 💥આદરણીય પંડિત શ્રી શૈલેષભાઇ ના તા. ૧૯.૨.૨૬ ના પ્રવચન ના મુખ્ય અંશો. 💥શ્રી સમયસાર શાસ્ત્ર ની શરૂઆત પહેલા અનુવાદ કરનાર પંડિત શ્રી જયચંદજી છાબડા કેટલાંક પદો લખીને માંગલિક કરે છે. 🌹દેવ,શાસ્ત્ર અને ગુરુને નમીને સમયસાર શાસ્ત્ર ની શરૂઆત કરે છે. 🪻સમયસાર ના શબ્દો વાચક છે અને તેનું વાચ્ય ભગવાન પરમબ્રહ્મ છે. 💐'સમય' શબ્દના આગમ અનુસાર ત્રણ અર્થ કર્યા છે.......શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય. 🌸ઉદાહરણ :- 'કેરી' શબ્દ ક્યાંક લખ્યો છે, 'કેરી' નામનો પદાર્થ અને 'કેરી' નું જ્ઞાન થાય. એ રીતે કેરી શબ્દ એ શબ્દ સમય, કેરી નામનો પદાર્થ એ અર્થ સમય અને કેરીનું જ્ઞાન થયું તે જ્ઞાન સમય. 🍀સિદ્ધાંત:- 'હું પરમાત્મા છું' તેવું શાસ્ત્રમાં લખ્યું છે. તે શબ્દ સમય. 'પરમાત્મા' નામનો પદાર્થ(વસ્તુ) તે અર્થ સમય અને 'હું પરમાત્મા છું' તેવો અંદરમાં સ્વીકાર થયો તે જ્ઞાન સમય. 🌱આગમ અનુસાર બીજા ત્રણ અર્થ પણ કર્યા છે......મત સમય, સિદ્ધાંત સમય અને કાળ સમય. 💥આખા સમયસાર નો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ --એને જ્ઞાની જનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો તે જ આખા સમયસાર નો સાર છે. 💥કોઈ પણ ગ્રંથ ની શરૂઆતમાં છ મુખ હોય છે... તે આ પ્રમાણે....મંગલ, નામ, નિમિત્ત, પ્રયોજન, પરિમાણ, કર્તા. 🌻પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે તે મંગલ. 🪷'સમયસાર; તે 'નામ'. 🌺'સમયસાર' ગ્રંથ કોના નિમિત્તે બનાવ્યું?....જીવો ના નિમિત્તે બનાવ્યું. 🍀વીતરાગ દશા પ્રગટ કરવી તે પ્રયોજન'. 🌲તેનું પરિમાણ એટલે ૪૧૫ ગાથાઓ. 🌻તેના કર્તા ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય. 💥ભગવાન આત્મા એ જિનરાજ(દેવ). વસ્તુના અનેકાંતસ્વરૂપને બતાવનારી વીતરાગવાણી તે સ્યાદવાદ છે. અને મિથ્યાત્વની અંદરની ગાંઠ અને બહારમાં વસ્ત્ર રૂપી ગાંઠ જેમની છૂટી ગઈ છે તે મુનિરાજ (ગુરુ). 💥આવા દેવ, શાસ્ત્ર અને ગુરુને કે જે આનંદ આપનારા છે તેમને હું નમું છે તેમ કહે છે.