У нас вы можете посмотреть бесплатно #ગૌચર или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#ગૌચર બચાવ માટે કાઠડાથી સોમનાથ સુધી જનઆંદોલન... #587 એકર ગૌચર જમીન મુદ્દે ગ્રામજનોમાં ઉગ્ર રોષ, દેવાંગ ગઢવીના નેતૃત્વમાં યાત્રાનો આરંભ કરાયો... #માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન અંગે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામની અંદાજે 587 એકર ગૌચર જમીન એરસ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના કારણે ગૌસેવકો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગૌચર જમીન પશુપાલકો અને ગ્રામ્ય જીવન માટે અતિ મહત્વપૂર્ણ હોવાથી આ મુદ્દે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌચર જમીન બચાવવા માટે હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીએ કાઠડા ગામથી સોમનાથ મહાદેવ સુધી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત યાત્રાનો આરંભ કર્યો છે. યાત્રાના પ્રારંભ સમયે ગામના અગ્રણીઓ, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી અને દેવાંગભાઈ ગઢવીને હિંમત મળે તે માટે ગામના સો લોકોએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગૌચર જમીન માત્ર જમીન નહીં પરંતુ પશુપાલન, પર્યાવરણ અને ગ્રામ્ય અર્થતંત્રનું આધારસ્તંભ છે. જો ગૌચર જમીન બચશે જ નહીં તો પશુપાલકોનું જીવન જોખમમાં મુકાઈ જશે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગૌચર જમીન બચાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. યાત્રા દરમિયાન વિવિધ ગામોના અગ્રણીઓમાં ગામના સરપંચ સોનલબેન ભારુભાઈ ગઢવી, ઉપ સરપચ કમલેશભાઈ, કાઠડા ચારણ સમાજના પ્રમુખશ્રી ભારુભાઈ ગઢવી, ઉપ પ્રમુખ વિરમભાઈ ગઢવી, ભીમશીભાઈ પાસ્તા, અરજણ કાનાણી, પાલુભાઈ પાસ્તા, મિત ગઢવી મોટા લાયજા, વાલજીભાઈ ચારણ સમાજ આગેવાન કાઠડા, માંણશીભાઈ ગઢવી, પૂર્વ સરપંચ દેવરાજભાઈ જામ અને સંજય બાપટ, સાથે મોટી બહેનો અને ગામના આગેવાનો હાજર રહયા હતા અને દરેક ગામોમાં જનજાગૃતિ ફેલાવવાનો અને ગૌચર સંરક્ષણ માટે લોકોનું સમર્થન મેળવવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ યાત્રા માત્ર કાઠડા ગામનો મુદ્દો નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ગૌચર સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સંદેશ બની રહી છે. આગામી દિવસોમાં આ આંદોલન વધુ વિસ્તૃત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ કાઠડાથી સોમનાથ સુધી જનઆંદોલનની શરૂઆત થઈ ચૂકી જે આગામી ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનશે... #અહેવાલ, પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા...