У нас вы можете посмотреть бесплатно 🛕ગોપાળાનંદસ્વામી ટોરડા ધામ🙏ટોરડા ધામ ઇતિહાસ / Swaminarayan Temple Torda Dham Bhiloda Sabarkantha🛣 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Shri Swaminarayan Temple, Torda The birthplace of Sadguru Shri Gopalanandaswami is located in Torda village of Bhiloda taluka of Sabarkantha district of North Gujarat.. શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરડા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની જન્મભૂમિ આવેલ છે. આ ગામમાં શ્રી નરનારાયણદેવના તાબાનું સ્વામિનારાયણ ભગવાનનું શિખંરબંધ મંદિર આવેલું છે. જેમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીઅને તેમના માતા જીવીબા અને પિતાજી મોતીરામ ભટ્ટ જે સ્વરૂપની રોજ સેવાપૂજા કરતા. તે શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા સંવત ૨૦૦૨ના વૈશાખ સુદ ત્રીજ [અખાત્રીજ]ના ૧૪ મેં ૧૯૪૫નાં દિવસે અમદાવાદ દેશના શ્રી નરનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ અને વડતાલ દેશના શ્રી લક્ષ્મીનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રીઆનંદપ્રસાદજી મહારાજ એમ બન્ને દેશના આચાર્યમહારાજ શ્રીઓના કરકમળો દ્વારા કરવામાં આવેલ છે. જેની પ્રાણપ્રતિષ્ઠા બન્ને દેશના આચાર્યમહારાજ શ્રીઓ દ્વારા થયેલ હોય તેવા મંદિરોમાનું આ એક અજોડ મંદિર છે. બાજુમાં શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીજી અને શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદા બિરાજમાન છે. આ મંદિરની બાજુમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામી સભામંડપ આવેલ છે અને તેમાં સૌપ્રથમ સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલ અને આજ સભામંડપની જગ્યામાં ખુશાલ ભટ્ટ શાળા ચલાવતાં એવી પ્રસાદીની ભૂમિ છે. સ્વામિનારાયણ ભગવાનનો છપૈયામાં જન્મ થયો ત્યારે સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ આ સભામંડપના મંદિરમાં બિરાજમાન શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ભગવાનના જન્મની ખુશાલીમાં ગોળ વહેચેલ. તેથી અહી ગોળની માનતા રાખવામાં આવે છે. અને સદગુરૂ ગોપાળાનંદસ્વામી બધા મુમુક્ષુઓની મનોકામના ચોક્કસ પૂરી કરે છે અને સુખિયા કરે છે. સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીનો જ્યાં જન્મ થયો તે ઘર બહુજ પવિત્ર છે. ઘરમાં એક રસોડું અને એક મોટો રૂમ છે. જ્યાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીનો જન્મ થયેલ. ઘરના પાછળના ભાગે એક નવેરી આવેલી છે અહી શામળાજી મંદિરના ઠાકોર શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ જોડે રમવા આવતા અને બંને મિત્રો કલાકોના કલાકો સુધી બાલ ક્રીડા કરતા. ટોરડાથી ૧૪ કિલોમીટર રાજસ્થાન બાજુ પવિત્ર પ્રસિદ્ધ શામળાજીનું તીર્થ સ્થાન આવેલ છે. જેમાં વિરાજમાન ભગવાનને કાળિયા ઠાકોર અને શામળિયાના નામથી ભક્તો બોલાવે છે. આ શામળાજી ભગવાને ખુશાલ ભટ્ટને પોતાના મિત્ર બનાવેલ તેથી ટોરડા રોજ રમવા જતા. ખુશાલ ભટ્ટ સદગુરૂ ગોપાળાનંદસ્વામીનું બાળપણનું નામ હતું. તેમના ઘરની નવેરી પાસે મોટો બગીચો હતો ત્યાં રમતા, હિચકોખાતા ક્યારેક ખુશાલ ભટ્ટ ભગવાનને હીંચકાવતા તો ક્યારેક ભગવાન ખુશાલ ભટ્ટને હીંચકાવતા. #GopalaNandSwamiTordaDham #KhushalBhatt #ચમત્કારપરચોLive #TodlaDham #tordaDham #khushalBhatt સ્વામિનારાયણ મંદીર ટોરડાધામ નો ઇતિહાસ અને વીડીઓ દર્શન || Swaminarayan Temple Torda Dham History ___________________________ #TodlaDham #tordaDham #khushalBhatt #gopalanandSwami #gopalanandSwamiParcha #idarMandir #tordaHistory #tordaDhamLiveDarshan #GopalLalji #tordaMandirItihash #swaminarayanKatha #SwaminarayanStatus #swaminarayanBhagwan #liveKatha #dailyDarshan #bhajan #kirtan #vadtalDham #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #baps