У нас вы можете посмотреть бесплатно 017 - SHREE SAMAYSAR PRAVACHAN - Pt. SHAILESHBHAI SHAH DT:16/03/2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
017 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR –SHLOK -1 Pt. SHAILESHBHAI SHAH DT:16/03/2026 💥 તા..૧૬.૩.૨૬ ના રોજ શ્રી સમયસાર શાસ્ત્ર ના કળશ -૧ પર આદરણીય પંડિત શ્રી શૈલેષભાઈ ના Vastrapur,અમદાવાદ માં થયેલ પ્રવચન ના અંશો. 💥વિશેષણ-4 ' સર્વભાવાંતરચ્છીદે':- પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વે ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. ☘️ સર્વ જીવાજીવ ચરાચર કહેતાં છ એ દ્રવ્યો.. ગતિ કરવાવાળા અને સ્થિર રહેવાવાળા દ્રવ્યો ને જાણનાર છે. 🪻 સર્વ ક્ષેત્ર કહેતાં લોક-અલોક ને જાણનારો છે. 💐સર્વ કાળ...કહેતાં ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી દરેક સમયને એક જ સમયે જાણે છે. 🌹વિશેષણો કહેતાં સર્વ ભાવો ને જાણનાર છે. કરનાર નથી. 🍀 વીતરાગ થયા પછી સર્વજ્ઞ થવાય છે. 🌲આ બોલમાં પર્યાયમાં પૂર્ણ સામર્થ્યની વાત છે. 🪻દરેક બોલમાં અસ્તિથી માંગલિક કર્યું છે. 💐આ બોલમાં ૪૭ શક્તિ માંથી સર્વજ્ઞત્વશક્તિ, સર્વદર્શીત્વશક્તિ અને સ્વચ્છત્વશક્તિ ગર્ભિત છે. 🌲કેવળજ્ઞાન ની પર્યાય દ્રવ્યમાંથી આવે છે. લોકના અગ્ર ભાગમાંથી નથી આવતી. પ્રાપ્ત ની પ્રાપ્તિ થાય છે. 🌱દ્રવ્યમાંથી કેવળજ્ઞાની અનંત પર્યાયો નીકળે છે છતાં દ્રવ્યમાં કઈ ઓછું થાય તેમ નથી. 🪻'યોગસાર' ના ગુરુદેવશ્રીના પ્રવચન માં આવે છે કે ભગવાન આત્મા પરમાત્માનું પ્રસુતિગૃહ છે. 🪸પૂજ્ય ગુરૂદેવશ્રીએ ક્રમબદ્ધપર્યાય સમજાવવા માટે સર્વજ્ઞભાગવાન નો આધાર લીધો છે. જગતના પદાર્થોને ક્રમબદ્ધ પરિણમવા માટે ભગવાનના જ્ઞાનની અપેક્ષા નથી. તે તો કેવળજ્ઞાનથી નિરપેક્ષ છે. પરંતુ જગતના જીવોને ખ્યાલ ન આવતા કેવલજ્ઞાન ના આધારે સમજાવ્યું છે. ☀️🪷આમ ચાર વિશેષણો દ્વારા કળશ-૧ માં શુદ્ધાત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી નમસ્કાર કર્યા છે.