У нас вы можете посмотреть бесплатно EP - 23 / માતૃવંદના / Part : 04 / Manilal H. Patel / નવજીવન Talks / Navajivan Trust или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાતી ભાષાનાં ખૂબ જાણીતા નિબંધકાર, વિવેચક અને વાર્તાકાર આદરણીય મણિલાલ હ. પટેલે માતૃવંદના કરી. પોતાની બા અંબાબહેન જેમને તેઓ જીજી કહીને સંબોધતા એ જનેતા અને મોટીબા એટલે કે બાની જેઠાણી રામીમા એ બંને માવડીઓને બહુ પ્રેમથી યાદ કરી. અહીં સર્જકના સર્જનના ઘણા છેડા મળી રહી છે. લેખકનું આ સંવેદનવિશ્વ બહુ હ્રદયદ્રાવક છે. નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને દીપક મહેતા સંપાદિત ‘માતૃવંદના’ પુસ્તકમાં ગુજરાતી ભાષાના ૧૦૭ સર્જકોએ પોતાની બાની વાતો લખી છે. મા સાથેના ખટમીઠા સંભારણાઓ લખ્યા છે. ભીની ભીની લાગણીઓ અને સ્મરણોની ગાંસડી પર ૧૦૭ જનેતાનો પાલવ જેવો હાથ હેતથી ફરતો રહ્યો છે. વાચકોને જુદાં જ સંવેદનલોકની સફરમાં લઈ જશે આ શ્રેષ્ઠ પુસ્તકશ્રેણી. આ પુસ્તકમાં જેમણે પોતાની માતાઓ વિશે લખ્યું છે એ દરેક સર્જકોને અને એમની જનેતાઓને વંદન કરીએ છીએ. ‘માતૃવંદના’ પુસ્તકના પાંચ ભાગ છે. પાંચેય ભાગમાં પથરાયો છે ૧૦૭ જનેતાઓનો મમતા ભરેલો પાલવ. પાંચ ભાગની કિંમત છે ₹ ૮૭૫ સ્વતંત્ર ભાગની કિંમત છે ₹ ૧૭૫. આ પુસ્તક ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં મોબાઈલ નંબર - 8849593849 પર કોલ કરી શકો છો. કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે. આપ આ નંબર પર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.