У нас вы можете посмотреть бесплатно EP - 109 / કુંવરબાઈનું મામેરું / Mahendrasinh Parmar / Navajivan Talks / Navajivan Trust или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતા વાર્તાકાર, નિબંધકાર અને નાટ્યકાર મહેન્દ્રસિંહ પરમાર પધાર્યા હતા. પહેલીવાર નવજીવન ટૉક્સનાં ઓટલે મધ્યકાલીન સાહિત્ય વિશે ગોઠડી થઈ. મહેન્દ્રસિંહ પરમારે પોતાની લાક્ષણિક શૈલીમાં પ્રેમાનંદ રચિત ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનું રસપ્રદ પઠન કર્યું. આખ્યાન વિશે વિગતે વાર્તાલાપ થયો. સત્તરમી સદીમાં લખાયેલા આ આખ્યાને એકવીસમી સદીના દર્શકોનું મન એવું તો મોહ્યું કે કાર્યક્રમનાં અંતે ભાવકો પોતાના સ્થાનેથી ઊભા થયા તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણોને ભીની આંખે વધાવી લીધી.આદ્યકવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનાં સીમંત પ્રસંગે શામળશા શેઠના રૂપે પધારેલા હરિ અને હરિપ્રિયાની લીલાનું વર્ણન કરતું આ આખ્યાન સર્વાધિક લોકપ્રિય છે એના કારણો વિશે વક્તાશ્રીએ ભાવસભર વાતો કરી. ‘ઓખાહરણ’, ‘અભિમન્યુ આખ્યાન’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘નળાખ્યાન’, ‘ચંદ્રહાસાખ્યાન’, ‘રણયજ્ઞ’, ‘દશમસ્કંધ’ વગેરે આખ્યાનો લખીને કવિ પ્રેમાનંદે એક રીતે ગુજરાતી સાહિત્યનું મામેરું કર્યું. મધ્યકાળના મહાકવિ પ્રેમાનંદે સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીમાં ગુજરાતી સાહિત્યને ઉત્તમ કૃતિઓ પ્રદાન કરી.