У нас вы можете посмотреть бесплатно માધવીબેન ફળદુ_વીતક ચર્ચા_તા.26/02/2026_ગુરુવાર_TARTAM SSMM શ્રી શ્યામાજી મહિલા મંડળ કાલાવડ is live! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
પરદા : આવરણ, કુરાન અને બાઈબલમાં આખરી જમાનાના ખાવિંદ આવશે તો તેમના મુખ પર પડદો હશે એમ લખ્યું છે. મહામતિ કહે છે, પરદાનો અર્થ હિંદુઓમાં અવતરવું લખ્યું છે, જેથી તે લોકો તેમને ઓળખી શકશે નહિ. પરઆતમ : પર આત્મા, પરમધામ મૂલમિલાવામાં રહેલાં બ્રહ્મસૃષ્ટિઓનાં મૂળ સ્વરૂપ. પરમહંસ: બ્રહ્માત્માઓ, જીવનમુક્ત મોમિન, સ્થિતપ્રજ્ઞ છે. જે શારીરિક દશાથી ઉપર ઊઠીને જીવતા હોય, તેમને જ પરમહંસ કહેવામાં આવે છે. પરસરામ : પરશુરામ, જમદગ્નિનો પુત્ર. જેમણે ફરી ફરીને એકવીસ વાર હૈહય ક્ષત્રિયોના વંશનો નાશ કર્યો હતો. મહામતિ કહે છે, તેઓ અવતારી પુરુષ હોવા છતાં પણ શરીર બંધનથી છૂટી શક્યા ન હતા. પરિકરમા : પરિક્રમા, પ્રદક્ષિણા. મહામતિ શ્રીપ્રાણનાથજી પ્રણીત તારતમ સાગરનો નવમો ગ્રંથ, જેમાં પરમધામ પચ્ચીસ પક્ષનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પરીક્ષત : પરીક્ષિત, અભિમન્યુનો પુત્ર. તેઓ પરાક્રમી અને ઈશ્વર ભક્ત રાજા હતા. તેમના સમયમાં કલિયુગની શરૂઆત થઈ. તેમણે ક્ષુબ્ધ અવસ્થામાં, અહંકારને વશ થઈને શમિક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો. ઋષિપુત્ર શ્રૃંગીએ તેમને શાપ આપ્યો કે, સાત દિવસ પછી તક્ષક નાગના કરડવાથી તેમનું મૃત્યુ થશે. રાજા પરીક્ષિત પોતાના પુત્ર જનમેજયને રાજ્યનો ભાર સોંપીને ગંગા કિનારે ગયા. તેમને શુકદેવજીના મુખારવિંદથી શ્રીમદ્ભાગવત કથા સાંભળવા મળી. ભાગવત - શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી તેઓ નિર્ભય બનીને મુક્ત થયા. પ્રકૃતિ : ઈશ્વરીય માતા. સૃષ્ટિની આદ્ય શક્તિ, સ્વભાવ. પ્રકાસ : પ્રકાશ. મહામતિ શ્રીપ્રાણનાથજી પ્રણીત તારતમ સાગરનો બીજો ગ્રંથ જે ગુજરાતી અને હિન્દી બન્ને ભાષાઓમાં ઉપલબ્ધ છે. પ્રકાશ ચિન્મય જયોતિનું પ્રતીક છે. પ્રણામ : નમન, અભિવાદન, મહામતિ શ્રીપ્રાણનાથજીએ પોતાની વાણીમાં પ્રણામનું ભારે મહત્ત્વ દર્શાવ્યું છે. તેમના દ્વારા પ્રચારિત ધર્મ, શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ કહેવાયો. પ્રણામનો અર્થ પરબ્રહ્મ પરમાત્માને નમન કરવું એવો થાય છે. પ્રાણનાથ : પ્રાણોના નાથ, ધણી, પરમાત્મા માટે યોજાયેલો શબ્દ. મેહેરાજ ઠાકુર જ સમયના વહન પછી પ્રાણનાથ નામે પ્રસિદ્ધ થયા. તેમનો જન્મ સંવત ૧૯૭૫ (ઈ.સ. ૧૯૧૮) માં જામનગરમાં કેશવ ઠાકુર અને ધનબાઈને ઘેર થયો. ૧૨ વર્ષની ઉંમરે તેઓ નિજાનંદાચાર્ય શ્રીદેવચંદ્રજી મહારાજના શિષ્ય બન્યા. શ્રીદેવચંદ્રજીએ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે તૈયાર કર્યા. શ્રીદેવચંદ્રજી પછી શ્રીમેહેરાજ ઠાકુર જામનગરથી જન જાગરણ યાત્રા કરતાં કરતાં અરબસ્તાન સુધી ગયા. સુરત શહેરમાં તેમણે મહામંગલપુરી ધામની સ્થાપના કરી. તેમના હૃદયમાં વસેલી સદ્ગુરુની શક્તિને જોઈને સુંદરસાથ તેમને પ્રાણનાથજી કહેવા લાગ્યા. તેઓ સુરતથી મેડતા, દિલ્હી, હરિદ્વાર, ઉદેપુર, ઔરંગાબાદ અને રામનગરની યાત્રા કરતાં કરતાં પન્નામાં રાજા છત્રસાલને મળ્યા. છત્રસાલજી પ્રાણનાથજીના શિષ્ય બન્યા. પન્નામાં પદ્માવતીપુરી