У нас вы можете посмотреть бесплатно Best places to eat in Bhuj | Famous Bhaijya House of Sharaf Bazar Bhuj Kutch Food Vlog Riona или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#foodvlog #foodie #bhujfoodvlog #kutchfoodvlog #placetoeatinbhuj 3 घंटे में रोज़ 15 Kg भजिया बिक जाते है 😱 | ૩ કલાક માં રોજ ૧૫ કિલો ભજીયા વેંચાઈ જાય છે | Best places to eat in Bhuj | Famous Bhaijya House of Sharaf Bazar Bhuj Kutch Food Vlog Riona Namashkar , Jay Shree Raam 🚩 This is Soniya From Bhuj - Kutch ( Gujarat ). I am a movie maker and a vlogger from Bhuj Kutch. (Gujarat) Today I am presenting you a video of Best Bhajiya House in Bhuj. ભુજ માં બેસ્ટ ફાસ્ટ ફૂડ , street food in bhuj #kutchvlog #bhujvlog , place to eat in bhuj My Movie Channel- @Riona : / rionamovies Vlog Channel- @Riona'SKingdom : / rionaskingdom Instagram: / rionaskingdom Movie's made by me 🎥- • "Riona" All Videos Vlogs made by me 🎥- Bhuj Kutch Vlogs: • Bhuj Shorts United Kingdom Vlogs: • UK Vlogs #food #foodvlogger , Bhuj , ભુજ કચ્છ #viral #bhujvlogger , ભજીયા , દાળ વડા , કચ્છી સમોસા , મરચા પાઉં , વડા પાઉં , ભાત ના ભજીયા , ભુજ માં બેસ્ટ જમવાનું , best restaurant in bhuj #kutchvlogger #kutchvlog #MiniDocumentary #VloggerLife #placestovisitinkutch #bhuj #કચ્છ #VloggersOfYouTube , ભુજ ની famous જગ્યાઓ , ભુજ ના જોવાયાલક સ્થળો places to eat in bhuj | places to eat in Kutch દાઢે વળગે એવા કચ્છની આ જગ્યાના દાલવડા, માત્ર 2 કલાકમાં 15 કિલો ભજીયા થઈ જાય છે સફાચટ કચ્છમાં 67 વર્ષ જૂની ભજીયાની લારી આવેલી છે. જ્યાંના દાળવડા ખૂબ પ્રખ્યાત છે. ચોમાસાની ઋતુમાં અહીં દાળવડા દાળવડા ખાવા માટે લોકોના ટોળા ઉમટે છે. કચ્છ : ગરમાગરમ ભજીયા વગર ગુજરાતીઓનું ચોમાસું અધૂરું છે. પહેલો વરસાદ વરસે ત્યારથી જ ભજીયાની લારીઓ પર ભીડ જામતી હોય છે. ત્યારે ભુજ શહેરની શરાફ બજારમાં મિનારા મસ્જિદ પાસે છેલ્લા છ દાયકાથી કોલસાની સગડી પર બનતા દાળના ભજીયાં ખાવા લોકોની ભારે પડાપડી થાય છે. સગડી પર ધીમા તાપે બનતા ભજીયાનો સ્વાદ ગેસના ચૂલા કરતા વિશેષ વિશેષ હોવાનું લોકો માને છે અને તે કારણે જ ચોમાસામાં ખાસ અહીં દાળના ભજીયાં ખાવા આવે છે. ભજીયાની લારી પર અડધા કલાકનું વેઈટિંગ ભુજ શહેરની શરાફ બજારમાં આવેલી મિનારા મસ્જિદના સામે ઉભતી આ ભજીયાની લારી પર નામનું કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું નથી. આ લારી પર ભજીયા બનાવતા કરોગર પોતે હિન્દુ છે પરંતુ મિનારા મસ્જિદ પાસે હોવાના કારણે વર્ષોથી તે મિનારા મસ્જિદના ભજીયા તરીકે જ પ્રખ્યાત થયા છે. અહીં લોકો સગડી પર બનતા દાળના ભજીયા ખાવા અડધી કલાક સુધી વેઇટિંગમાં ઉભા રહે છે અને સાંજે ત્રણ કલાકમાં જ બધા ભજીયા પૂરા કરી મૂકે છે. પોતાના દાદાજી અને બાપુજીનો આ વ્યવસાય સંભાળતા પ્રિયેન ગોરે જણાવ્યું હતું કે, "લોકો ખાસ સગડી પર બનતા ભજીયા ખાવા માટે અડધો કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે. સગડી પર ધીમા તાપે બનતા ભજીયા બહારથી અને અંદરથી પણ બરોબર પાકે છે અને ભજીયા અંદર જારી જોવા મળે છે." ત્રણ પેઢીથી ચાલે છે ભજીયાની લારી મિનારા મસ્જિદ પાસે ભજીયા બનાવતા પ્રિયેન ગોર આ વ્યવસાય સાથે જોડાયેલી ત્રીજી પેઢી છે. તેમના દાદાએ લગભગ 67 વર્ષ પહેલાં આ જગ્યાએ હાથલારી પર ભજીયા બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યારથી જ ભુજમાં તેઓ મિનારા મસ્જિદના ભજીયા તરીકે પ્રખ્યાત છે. સમય જતાં તેમના ગ્રાહકોમાં સતત વધારો જ થયો છે અને તે કારણે જ પહેલા જ્યારે સાંજે ફક્ત બે કલાક કામ ચાલતું એ હવે ત્રણ કલાક સુધી ચલાવાય છે. Food Special: During the monsoon season, there is a line of people to eat the dal bhajiya (dalwada) અહીં ભજીયા ઉપરાંત સમોસા, બટેટા વડા અને મરચાં વડા પણ મળે છે. પરંતુ અહીંના ભજીયા લોકોના મનપસંદ બન્યા છે. તેની પાછળનું કારણ તેની રેસિપી અને તેને બનાવવાની રીત છે. આ ભજીયા દાળ, ચોખા અને બેસનના મિશ્રણથી બનાવવામાં આવે છે. જેની પ્રક્રિયા અન્ય ભજીયા કરતા કઠિન છે. અહીં ભજીયા બનાવવા કોલસાની સગડી વાપરવામાં આવે છે. જેના કારણે આ ભજીયા અન્ય ભજીયા જેમ પીળા નહીં. પરંતુ ભૂરા રંગના બને છે અને એક વિશેષ સ્વાદ ધરાવે છે. અડધા કલાક સુધી વેઈટિંગ દરરોજ લોકો અહીં આવી ઓર્ડર આપીને અડધી કલાક સુધી વેઇટિંગમાં ઉભા રહે છે ત્યારે તેમનો વારો આવે છે. તો અનેક જૂના ગ્રાહકો તો ફોન પર જ પોતાનો ઓર્ડર લખાવીને અહીં આવે છે. લોકો અહીં દરરોજ 15 કિલોગ્રામ ભજીયા ત્રણ કલાકમાં જ આરોગી જાય છે. તો ચોમાસાની ઋતુમાં એ જ 15 કિલો ભજીયા બે કલાકમાં પૂરા થઈ જાય છે. પ્રિયેનભાઈએ જણાવ્યું હતું કે, "મારા દાદાજી દ્વારા આ સ્થળ પર ગાડી રાખી વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો. અમારી પાસે 1956ની પહોંચ છે. પરંતુ તેના પહેલા આ લારી ક્યારે શરૂ થઈ હતી તેનો કોઈ ખ્યાલ નથી. મારા દાદાજી અને બાપુજી ફક્ત બે કલાક જ ભજીયા વેંચતા પણ ગ્રાહકો વધતા મને ત્રણ કલાક સુધી ભજીયા બનાવવા પડે છે. ચોમાસામાં એ જ ભજીયા બે કલાકમાં પૂરા થઈ જાય છે."