У нас вы можете посмотреть бесплатно Shree Suktam Video With Gujarati Meaning | Sai Devotee или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ૐ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ભગવાનબાબા ની કૃપાથી વેદ મંત્રોનું ગુજરાતી માં ભાવાર્થ સહીત ઓડિયો તથા વિડિઓ દ્રારા પ્રકાશિત કરવાનો સંકલ્પ જાગ્યો જે વેદ પુરુષ શ્રી સત્યસાઈ બાબા ના ચરણકમલ માં અર્પણ કરીએ છે. વૈદિક મંત્રો એ દિવ્ય ચેતના શક્તિ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ એ એમની ધ્યાના વસ્થાના અનુભવો દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું. આમંત્રો, સૂક્તો મૂળ દેવોની ભાષા સંસ્કૃતમાં હોવાથી વ્યાપક સમજણના શુભ હેતુથી તેના મૂળ ભાવાર્થ જળવાઈ રહે તેની વિશેષ કાળજી રાખી સામાન્ય જન પણ સમજી શકે તે માટે ગુજરાતી માં રૂપાંતર કરી રજુ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વેદમંત્રોનું પઠન અથવા શ્રવણ પ્રાર્થના ના સ્વરૂપમાં થતું હોય છે. મંત્રોના અર્થ જાણ્યા વગર પણ પઠન અથવા શ્રવણ કરવાથી પ્રાર્થના સફળ થાય છે. પરંતુ અર્થ ના જ્ઞાન સહીત થતું પઠન અથવા શ્રવણ ઘણું વધારે લાભકારક છે. મંત્રોના અર્થ જાણીને જે વ્યક્તિ પઠન અથવા શ્રવણ કરે છે તેને ધર્મ,અર્થ,કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, સાથે અલોકિક આનંદ ની અનુભૂતિ થાય છે. ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના આ અવતારનો ઉદ્દેશ સનાતન ધર્મની અને વૈદિક સંસ્કૃતિનીપુન:સ્થાપના, સેવા દ્વારા સમાજકલ્યાણ કરવાનો છે. અને એના ભાગરૂપે પ્રશાંતિનિલયમમાં વેદમંત્રોનો ઉચ્ચારણ પ્રાતઃકાલ અને સંધ્યાકાલ નિયમિત રૂપે વર્ષોથી કરવામાં આવે છે જે સૂક્ષ્મરૂપે પઠન અને શ્રવણ કરતા જનસમુદાયના આત્માની શુદ્ધિ કરે છે તથા પરિણામ સ્વરૂપે તેમના માં આમૂલ પરિવર્તન કરી સમાજસેવા કરવા અને બાબાના ઉદેશની પૂરતી કરવા પ્રેરિત કરે છે. ભગવાનના અવતાર કાર્યમાં સેવક બનીને ફાળો આપવો હોયતો વેદોપાસનાકરીએ અને વેદપ્રણાલી આધારિત જીવનશૈલી અપનાવી તેનો પ્રસાર કરીએ. આ ઓડિયો વિડિઓ વેદમંત્રમાલા સમસ્તલોકા: સુખીનો ભવન્તુની ભાવનાથી સાકાર કરવામાં જે ભક્તજનો એ સહકાર આપ્યો તે સર્વેનો અંત: કરણપૂર્વક આભાર ....... વિશેષકરીને, શ્રી મનોહરભાઈ ત્રિકન્નાડ(રાજ્યપ્રમુખ,શ્રી સત્ય સાઈ સેવા સંગઠન,ગુજરાત),શ્રી યજ્ઞેશ જાની(જિલ્લા પ્રમુખ, શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ,અમદાવાદ),સુ. શ્રી મૃદુલા નાયક આ કાર્યમાં અમને નિમિત્ત બનાવવા માટે અમે ભગવાન બાબાના કાયમ માટે ઋણી રહીશું. ભગવાન બાબાને કોટી કોટી ધન્યવાદ, કોટી કોટી પ્રણામ ગુણવંત ડાહ્યાભાઈ પંચાલના જયસાઈરામ Email :gunvant.ram@draftair.com Mo. : +91 98980 96720