У нас вы можете посмотреть бесплатно A STEP TO SUCESS | Motivational seminar by Mr. Ashok Gujjar | AXAA | ST XAVIER'S SCHOOL GAMDI ANAND| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
અભૂતપૂર્વ આયોજન. "મારા જીવનમાં પહેલી વાર હું એક એવા અભૂતપૂર્વ સેમીનારમાં ભાગ લઈ રહ્યો છું કે જેનું સમગ્ર આયોજન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સેંટ ઝેવિયર્સ શાળાને મારા શત શત નમન તથા આ શાળાના સંચાલકો તથા શિક્ષક ગણને મારા વંદન કે જેમણે એમના વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સાથે એવા સંસ્કારોનું સીંચન કર્યું છે કે જેઓ શાળા છોડ્યા પછી પણ આવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા પ્રત્યેનું ૠણ અદા કરી રહ્યા છે. આવા ઋણાનુબંધના સાક્ષી બનવું એ મારા માટે પણ ભાગ્યની વાત છે." તા. 07/02/26, શનિવારના રોજ સેન્ટ ઝેવિયર્સ શાળા, આણંદના પ્રાંગણમાં બરોબર સાડા ચાર વાગ્યે પ્રાર્થનાગીત સાથે ' સફળતાના પંથે ' મોટીવેશનલ સેમીનારની શરૂઆત કરવામાં આવી ત્યારે શાળાનું મેદાન વિદ્યાર્થીઓ, વાલીઓ, યુવાનો, શુભચિંતકો તથા આમંત્રિત મહેમાનોની હાજરીથી હકડેઠઠ ભરાઈ ચૂકયું હતું. દીપ પ્રાગટ્ય તથા દાતાશ્રીઓનો પરિચય આપ્યા પછી પુષ્પગુચ્છ આપીને એમની ઉદારતાને બિરદાવવામાં આવી હતી. ત્યાર બાદ શાળાના મેનેજર આદરણીય ફા. ફ્રાન્સિસ પરમાર એસ. જે. તથા આચાર્ય શ્રી ફા. નોયલ પરમાર એસ.જે એ ટૂંકા પરંતુ અસરકારક પ્રાસંગિક પ્રવચન દ્વારા આ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. અગણિત શૈક્ષણિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક મોટીવેશનલ સેમીનાર આપીને અનેક વિદ્યાર્થીઓના જીવન અને કારકિર્દીમાં નોંધપાત્ર પરિવર્તન લાવનાર શ્રી અશોક ગુજ્જરે ઉપરોક્ત શબ્દોમાં સેમીનારની દબદબાભેર શરૂઆત કરી ત્યારે હાજર રહેલા સહુકોઈએ એમની આ વાતને તાળીઓના ગગનભેદી ગડગડાટથી ઉમંગભેર વધાવી લીધી હતી. સાંભળનારને સ્પર્શી જતી વાકછટા અને રજૂઆતની સીધી, સરળ અને આગવી શૈલીથી એમણે પોતાની વાતને તબક્કાવાર મુખ્ય ત્રણ મુદ્દાઓ જેમ કે; ધ્યેય નક્કી કરવો, ધ્યાન કેન્દ્રિત કરવું તથા અગમ દર્શન વગેરેમાં વહેંચી દીધી હતી. જીવંત દાખલાઓ અને સુસંગત ઉદાહરણો દ્વારા એમણે આ મુદ્દાઓની એવી વિગતવાર છણાવટ કરી હતી કે એમની વાતો સાંભળનારના દિલને સ્પર્શી ગઈ હતી. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વાલીઓની અસરકારક ભૂમિકા વિશે પણ એમણે પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના અંતમાં, દરેક વિદ્યાર્થીએ અત્યંત ભાવુક બનીને પોતાના માબાપના ત્યાગ અને બલિદાનને યાદ કરીને એમના સ્વપ્નોને સાકાર કરવા માટે આગામી પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવા માટે પોતાનો જીવ રેડી દઈને અભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં, અંકિત સરે આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી અશોક ગુજ્જર, કાર્યક્રમનું સરળતાથી સંચાલન કરનાર શ્રી સ્ટીવન રોય અને શ્રી સ્નેહલ પરમાર તથા પ્રાર્થના નૃત્ય તૈયાર કરાવનાર કીર્તિબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. 'AXAA'ના પ્રવર્તમાન પ્રમુખ શ્રી અર્ચન પરમારે જણાવ્યું હતું કે જ્યારે શાળાના ઇતિહાસમાં આ હૃદય પરિવર્તન કરનાર અભૂતપૂર્વ સેમીનારની યશગાથા લખવામાં આવશે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક રીતે ટેકો કરનાર સહુ દાતાશ્રીઓની ઉદારતા તથા તન અને મનથી રાત દિવસ જોયા વિના પોતાનો જીવ રેડી દેનાર AXAAના સહુ સ્વયંસેવકોએ નિસ્વાર્થભાવે આપેલા યોગદાનની સહર્ષ નોંધ લેવામાં આવશે. વિશેષમાં એમણે આત્મીય એજ્યુકેશનના શ્રી મનિષ વાઘેલા, અગનેલ કેટરર્સના શ્રી કિરીટ મેકવાન, દિયા ડેકોરેટર્સના શ્રી કેની મેકવાન, સીડીએસના કર્તાહર્તા શ્રી મનોજ મેકવાન, ઋષિ સાયન્સ ઝોનના શ્રી ગુંજન મેકવાન, ટ્રિનિટી ક્લાસિસના શ્રી આકાશદીપ રાઠોડ, આનંદ કન્સ્ટ્રકટશનના શ્રી આનંદ તબિયદ તથા શ્રી કેશિત સર, જી.એસ. ગિફટિંગના સુભાષભાઈ તથા જી. એસ. એજ્યુકેશન નો અતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કમલ સંગીત ('AXAA' વતી)