У нас вы можете посмотреть бесплатно પ્રો. જયન્ત જોશીઃ સર્જક પુત્રોની દૃષ્ટિએ Saumya Josh & Abhijat Joshi | Ramesh Tanna | Navi Savar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સમાજને પ્રતિબદ્ધ અને સુધારાવાદી, અનેક વિષયોના જાણતલ અને વિદ્વાન એવા પ્રો. જયન્ત જોશી વિશે તેમના બે પુત્રો અભિજાત જોશી અને સૌમ્ય જોશી સાથે નવી સવારે સંવાદ કર્યો છે. સર્જનાત્મકતાથી છલકાતા, ફિલ્મ, નાટક, સાહિત્ય વગેરે ક્ષેત્રે વિશેષ પ્રકારનું માતબર પ્રદાન કરનારા અભિજાત જોશી અને સૌમ્ય જોશીએ અહીં પોતાના પિતા વિશે, તેમના વિચારો અંગે વાતો કરી છે. અમે તો बाप का माल પર ચરી રહ્યા છીએ તેવું કહેતા આ સર્જકોએ 50 મિનિટમાં પ્રો. જયન્ત જોશીના વ્યક્તિત્વનાં, તેમના વિચારવિશ્વનાં, તેમના જીવન અને કાર્યનાં એક પછી એક ઘણાં પડ ખોલી આપ્યાં છે. આ સંવાદમાં આપણને જયન્તભાઈ માણસ તરીકે, પિતા તરીકે, પતિ તરીકે, શિક્ષક તરીકે, વિચારક તરીકે, સમાજના નિસબતી જણ તરીકે કેવા અને શા માટે હતા તેની વાતો જાણવા મળે છે. અભિજાત જોશીની પ્રતિષ્ઠિત ફિલ્મોના સંવાદોમાં જયન્ત જોશીની ક્યાં અસર હતી, કયાં દૃશ્યો ખરેખર તો જયન્ત જોશીની સીધી પ્રેરણા નીચે લખાયાં હતાં કે પછી સૌમ્ય જોશીનું કયું નાટક જોઈને તેઓ વારંવાર રડ્યા હતા અથવા તો તોએ સૌમ્ય પાસેથી કઈ કવિતા અને જિજ્ઞા વ્યાસ પાસેથી કયા નાટકનો સંવાદ વારંવાર સાંભળવાની ઈચ્છા રાખતા? શા માટે તેમને સાને ગુરુજી, બાબા આમ્ટે રે પ્રકાશ આમ્ટે વિશેષ સ્પર્શતા ? પ્રોફેસર જયન્તભાઈ ક્યારે સમાજ અભિમુખ થયા.. કયા અને કોના લેખો અને કવિતાએ તેમના પર અસર કરી ? સૌમ્ય જોશી કેમ એવું કહે છે કે અમે જે કંઈ લખીએ છીએ તેનાં સત્ત્વ અને તત્ત્વ છે તેની વિચારધારા અમને તેમના પાસેથી મળી હતી ? જયન્તભાઈએ પોતાના દીકરાઓને કેમ શીખવ્યું કે કુદરત ભયંકર પણ છે ? ગાંધીવિચાર તેમને ગમતો તો પણ તેઓ ગાંધીના જે વિચારો ના ગમતા તેનાથી આદર બરકરાર રાખીને પણ અંતર રાખતા.. તેમણે શા માટે ક્યારેય નામની ખેવના ના રાખી ? પૌત્ર સંવિત અને પૌત્રી અનુષ્કા સાથે તેમને કેવું બનતું ? હોસ્પિટલમાં છેલ્લા કલાકોમાં તેઓ આંગળીઓની મુદ્રાથી શું કહેવા માગતા હતા ? જે પરિવારજનો ના સમજી શક્યા પણ તેમનાં ધર્મપત્ની નીલાબહેન તરત પામી ગયાં.. એ બાબત શું હતી ? આવી ઘણી રસપ્રદ અને પ્રેરક વાતો આપને આ સંવાદમાંથી મળશે. નવી સવાર અભિજાત જોશી અને સૌમ્ય જોશીનો આ મુલાકાત માટે ખાસ આભાર માને છે. Shoot : Harsh Dhakan & Smit Tanna & Kashyap Parmar Edit: Smit Tanna & Kashyap Parmar લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે. પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે. Instagram: https://www.instagram.com/navisavar/?... Facebook: / ramesh.tanna.5