У нас вы можете посмотреть бесплатно 31st Annual Session of Gujarat Sociology Council held или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ તથા સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનું ૩૧મું વાર્ષિક અધિવેશન યોજાયુ ૦૦૦૦૦૦૦ સમાજ એટલે મનુષ્યનો સમૂહ નહિ, પણ સમૂહના સભ્યો વચ્ચે પ્રવર્તતી સામાજિક સંબંધોની વ્યવસ્થા છે - કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણ જૂનાગઢ તા.૨૪, ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ તથા સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢનાં આંગણે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનું ૩૧મું વાર્ષિક અધિવેશન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણનાં અધ્યક્ષ સ્થાને બદલાતુ ગુજરાત- પરિવર્તન અને પ્રશ્નો વિષયે ૩૧મુ વાર્ષિક અધિકવેશન યોજાયુ. અધિવેશનનાં અધ્યક્ષ અને યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે ઉપસ્થિત સમાજશાસ્ત્રીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે “સમાજ એટલે મનુષ્યનો સમૂહ નહિ, પણ સમૂહના સભ્યો વચ્ચે પ્રવર્તતી સામાજિક સંબંધોની વ્યવસ્થા છે. ત્યારે સમાજશાસ્ત્રમાં વપરાતા સમાજ શબ્દ વિશે કોઈપણ વ્યક્તિને પૂછવામાં આવે ત્યારે સમાજ શબ્દનો અર્થ વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. દરેક વ્યક્તિના જવાબોને તપાસવામાં આવે તો ક્યાંક સમાનતા અને ક્યાંય વિરોધાભાસ પણ જોવા મળે છે. સમાજ શબ્દનો અર્થ જુદો-જુદો જોવા મળે છે. ભારતિય જ્ઞાન પ્રણાલીમાં વસુદૈવકુટ્ટુંમબકમ્મ ની વિભાવનાં સમાજશાસત્રીઓને ઘણું સુચવી જાય છે. સંયુક્ત, વિભક્ત કે એકલ કુટુંબવ્યવસ્થાનું સ્વરૂપ દુનિયાભરમાં તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. કૃષિ યુનિ.નાં કૂલપતિ પ્રો. વિઠ્ઠલભાઇ પી. ચોવટીયાએ જણાવ્યુહતુ કે પશ્ચિમના અમીર દેશોમાં ઘણાં મોટા ફેરફારો આવ્યા અને બાદ વિકાસશીલ દેશોમાં પણ પરિવર્તન થયું છે. આપણે ત્યાં ઔધોગિકરણ, શહેરીકરણ, આધુનિકીકરણ અને ઉદારીકરણે કુટુંબ વ્યવસ્થામાં ફેરફાર લાવ્યા છે. ગામડાઓમાં રોજગારીના અભાવને લીધે લોકોનું શહેરોમાં સ્થળાંતર પણ કુટુંબોમાં વિઘટનનું કારણ છે. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ, સ્ત્રીની સ્વતંત્રતા અને આર્થિક પગભરતા, એકાકી જીવનની ખુશી, વિસ્થાપન, બદલાતી જીવનશૈલી, બેરોજગારી, મોંઘવારી, કુટુંબના સભ્યોની અસમાન આવક, બે પેઢીઓ વચ્ચેનું અંતર જેવાં કારણોથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબનું ચલણ વધ્યું છે, જે ચિંતન અને મનન સાથે અભ્યાસનો વિષય છે. ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનાં અધ્યક્ષ પ્રો.(ડો.) હેમીક્ષાબેન રાવે પોતાનાં ઉદબોધનમાં કહ્યુ કે માણસ એક સામાજિક પ્રાણી છે. સમાજમાં રહે છે. માણસ એકબીજામાંથી ઘણું શીખી શકે છે. દરેક વ્યક્તિમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આ બધા મુદ્દાઓને વૈજ્ઞાનિક દષ્ટિકોણ સાથે સમજવા જરૂરી છે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને સમજવા માટે વૈજ્ઞાનિક દષ્ટિ હોવી જરૂરી છે. સામાજિક કાર્યકરો એ સમાજના વિવિધ પ્રશ્નો સાથે કામ કરવાનું હોય છે. ત્યારે અધિવેશનમાં પ્રથમ સત્રમાં દરિયા કિનારાનું પલટાતું ગુજરાત વિષયે સમીક્ષામાં દરિયા કિનારાના સમુદાયો, બદલાતું પર્યાવરણ અને પ્રશ્નો અને પડકારો સાથે વર્તમાન સમયમાં પર્યાવરણની સમસ્યાઓ મંથન થયુ હતુ. સમાજશાસ્ત્ર ભવન પરિષદનાં મંત્રી રાજેન્દ્ર જાનીએ અધિવેશનની રૂપરેખારજુ કરતા જણાવ્યુ હતુ કે ગામડાંની સામાજિક ભૂગોળ વિષયે સમીક્ષામાં ગુજરાતના પલટાતા ગામડાં, પરંપરાગત વ્યવસાયોની બદલાતી તાસીર, આંતરજ્ઞાતિય સંબંધો પંચાયત અને વિકાસ વિષયે સમુહચિંતન થયુ હતુ. તૃતિય સત્રમાં બાળકોનું શોષણ વિષયે છીનવાતું બાળપણ, વર્તમાન સમયમાં મહિલા અને બાળવિકાસ, સામાજિક સમસ્યાની પલટાતી તાસીર, સામાજિક વિકાસ સામેના પડકારો, શિક્ષણ, બેકારી અને નવી પેઢી વિષયે વાત આ બે દિવસીય અધિવેશનમાં સમાજશાસ્ત્રીઓ દ્વારા રજુ થશે. કાર્યક્રમ પ્રારંભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર વિભાગનાં વડા અને અધિવેશનનાં મુખ્ય સંયોજક પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ આમંત્રીત અતિથીઓ અને વિદ્વત્ત સમાજશાસ્ત્રીઓ, શોધસ્કોલર્સ, વિદ્યાર્થીઓને શબ્દસૂમનથી આવકારી જણાવ્યુ હતુ કે ભારતના વિકસિત રાજ્યોમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાતમાં ઝડપી આર્થિક વિકાસ, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, ટેકનોલોજી અને વિકાસલક્ષી નીતિઓના પરિણામે સમાજના માળખામાં વ્યાપક પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનોએ વિકાસની નવી તકો પણ ઊભી કરી છે, તેની વાત સાથે સૈાને આવકાર્યા હતા. પ્રો. (ડો.) તારાબેન પટેલ સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ભદ્રાયુ વચ્છારાજાનીએ જણાવ્ય હતુ કે સામાજિક અસમાનતા, બેરોજગારી, સ્થળાંતર, સામાજિક ન્યાય, પર્યાવરણ અને સાંસ્કૃતિક ઓળખ જેવા અનેક પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. જે અંગેનું ચિંતન આવશ્યક જણાંતા અધિવેશનના મુખ્ય હેતુ તરીકે ગુજરાતના પરિવર્તનશીલ સમાજનું શૈક્ષણિક અને બહુઆયામી વિશ્લેષણ કરવું, સમકાલીન સામાજિક પ્રશ્નો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવી. ગુજરાતને સર્વાંગી અને સમાવેશક વિકાસના મોડેલ રાજ્ય તરીકે સમજવા માટે એક શૈક્ષણિક મંચ પૂરો પાડવાનો છે. એ.આર.શાહ સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. કેયુર દસાઠીયાએ બદલાતા સમાજની સામાજિક સંબંધોની જટિલ વ્યવસ્થાઓ વિષયે વાત કરી હતી. દરિયા કિનારાનું પલટાતુ ગુજરાત વિષયે ડો. તનુજા આર. કલોલાએ સામાજિક સંબંધો અનેક સ્વરૂપ વાત કરી હતી. ગુજરાતનાં પલટાતા ગામડા વિષયે ડો. મેઘરાજસિંહ જાડેજાએ ગ્રામિણ સંસ્કૃતિ અને ગ્રામ સમાજ વ્યવસ્થાઓ પરિપેક્ષ્યે વાત કરી હતી. કાર્યક્રમ પ્રારંભે મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી બે દિવસીય અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. અતિથીઓને પુષ્પગુચ્છ, ખાદી રૂમાલ- પુસ્તકથી બહુમાન કર્યુ હતુ. આ અધિેવેશન દરમ્યાન ૯૮ સંશોધન પેપર રજૂ થયા હતા. અધિવેશનમાં ૨૦૦ થી વધુ સમાજશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશમાં સેવાનિવૃત અધ્યાપકોનું સન્માન, દિવંગત અધ્યપકોને શ્રધ્ધાસુમન અર્પિત કરાયા હતા. તાજેતરમાં પીએચડીની પદવી મેળવનાર ને સન્માનિત કરાયા હતા. અધિવેશનમાં સંશોધન પેપર અને સાર સંક્ષીપ્ત પ્રસ્તુત થયા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ અને આભાર દર્શન ઋષિરાજ ઉપાધ્યાએ સંભાળ્યુ હતુ.