У нас вы можете посмотреть бесплатно શ્રી ગંગા સતી પાનબાઈ નો ઇતિહાસ સમઢીયાળા ||ganga sati panbai history samdhiyala || H.p king01 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દર્શક મિત્રો શ્રી ગંગા સતી ની સમાધી 1894 માં લીધી હતી અને વીડિયોમાં 1994 બોલાઈ ગયું છે તે બદલ ક્ષમા માંગુ છું અને ઇતિહાસ નીચે દર્શાવુ છું Menu ગંગાસતીનું જીવનચરિત્ર | Gangasati History in Gujarati harshadbhai prajapati WhatsApp no 7990469850  સૌરાષ્ટ્રની ભૂમિ એ સતી, સંત અને શૂરવીરોની ભૂમિ છે. આ ભૂમિ પર આવા અનેક મહાત્માઓ થઈ ગયા છે. આમાંના જ એક એટલે ગંગાસતી. ગંગાસતી એ સંત, સતી અને શૂરવીર ત્રણેયનું સંગમ હતાં. ઉજ્જવળ ચારિત્ર્યવાન પવિત્ર સ્ત્રી એટલે સતી, પ્રભુભક્તિની વેલી પ્રગટાવી તેનો વિસ્તાર કરનાર સંત અને ધ્યેયસિદ્ધિ માટે ફના થનાર શૂરવીર એટલે ગંગાસતી. એમણે રચેલ ઉત્કૃષ્ટ ભજનોને કારણે તેઓ સૌરાષ્ટ્રનાં મીરાંબાઈ તરીકે ઓળખાય છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન કવિયત્રી ગંગાસતી વિશે વિગતે માહિતી મેળવીએ. Table of Contents ગંગાસતીનો જીવન૫રિચય (Gangasati in Gujarati) ગંગાસતીનો જન્મ:- લગ્ન:- અધ્યાત્મ માર્ગ:- એક અણધારી ઘટના:- કહળસંગનો દેહત્યાગ:- ગંગાસતીનાં ભજનો:- ગંગાસતી અને પાનબાઈનો દેહત્યાગ:- જગતને સંદેશ:- ભજનોમાં વપરાયેલ અધ્યાત્મ:- ગંગાસતીએ પાનબાઈને સમજાવેલ બાબતો:- ગંગાસતીનાં ભજનો:- ગંગાસતીનો જીવન૫રિચય (Gangasati in Gujarati) પુરુ નામ :-ગંગાબાઇ ફહળુભા ગોહિલઉ૫ નામસોરઠનાં મીરાંબાઇજન્મ તારીખ :- 1846જન્મ સ્થળ :-રાજપરા – પાલીતાણાપિતાનું નામ :-ભાઇજી જેસાજી સરવૈયામાતાનું નામ :-રૂપાળીબા૫તિનું નામ :-હળસંગ કલભા ગોહિલ (કહળુભા)સંતાનો :-એક પુત્ર – અજોભા અને પૂત્રવધુ પાનબાઇવ્યવસાય :- કવિયત્રીમૃત્યુ1894 ગંગાસતીનો જન્મ:- તેઓ એક રાજપરિવારમાં જન્મ્યાં હતાં. તેમનો જન્મ ભાવનગર જિલ્લાનાં પાલિતાણા તાલુકાનાં રાજપરા ગામમાં ઈ. સ. 1846માં થયો હતો. તેમનાં પિતાનું નામ શ્રીભાઈજી જેસાજી સરવૈયા અને માતાનું નામ રૂપાળીબા હતું. ગંગાસતીનું નામ ગંગાબા હતું. ગંગાસતીનું પ્રાથમિક શિક્ષણ પણ અહીંની શાળામાં જ થયું હતું. પ્રાથમિક શિક્ષણથી વધુ તેઓ ભણ્યા નહોતાં. ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા, જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા. Must Read : શ્રી રંગ અવધૂત મહારાજ લગ્ન:- ઈ. સ 1864માં ગંગાબાના લગ્ન ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામનાં રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ ગોહિલ સાથે થયા હતા. તે સમયે રાજપૂતોમાં રિવાજ હતો કે નવોઢાની સાથે તેની એક સેવિકા મોકલવામાં આવે. પિતાનાં પૂછવા પર ગંગાબાએ પાનબાઈનું નામ લીધું હતું. આથી પાનબાઈને ગંગાબા સાથે સેવિકા તરીકે મોકલવામાં આવ્યાં. પાનબાઈ એ ગંગાસતીની સેવિકા, સખી અને શિષ્યા હતાં. અધ્યાત્મ માર્ગ:- ગંગાસતીની જેમ જ તેમનાં પતિ કહળસંગ પણ એક અધ્યાત્મિક જીવ જ હતા. પતિ પત્ની બંનેનાં ગુરુ ગિરનારના સિદ્ધ સંત શ્રી રામેતવન હતા. આ દંપતીને બે પુત્રીઓ હતી – બાઈરાજબા અને હરિબા. ગંગાસતી અને તેમનાં પતિની અધ્યાત્મિક જીવનની સુવાસ ચારે બાજુ ફેલાવવા લાગી હતી. તેમની પાસે અનેક સંતો, ભક્તો, ગૃહસ્થ જીવો અને દીનદુઃખીયા આવવા માંડ્યાં હતાં. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. તેમને આ કાર્યમાં તેમની સેવિકા એવાં પાનબાઈએ પણ ભરપૂર સાથ આપ્યો હતો, કારણ કે તેઓ પણ ભક્તિનાં રંગે રંગાઈ ચૂક્યાં હતાં. આ ત્રણેયનો અધ્યાત્મિક સેવાયજ્ઞ ચાલુ હતો, એવામાં એક વાર ત્યાં એક હરિજન સાધુ નામે ભૂધરદાસજી પધાર્યા અને તેમની સાથે ત્યાં જ રહેવા લાગ્યા. આ સાધુના આગમન પછી તો આ ત્રિપુટી દ્વારા એમની વાડીની ઝૂંપડીએ અધ્યાત્મની જાણે ગંગા વહેવા લાગી! ભૂધરદાસજી ખૂબ સારા ભજનિક હતા. ગંગાસતીનાં ભજનોને લિપિબદ્ધ કરવાનું કાર્ય તેમણે જ કર્યું છે. તેઓએ જ ગંગાસતીને પ્રાચિન સંતવાણીનો ખ્યાલ આપ્યો હતો. એક અણધારી ઘટના:- કહળસંગ પોતાની સિદ્ધિઓનો ઉપયોગ ખોટી બાબતમાં કરવા માંગતા નહોતા. પરંતુ એક વખત એવું બને છે કે ગામનાં એક ખેડૂત જીવાભાઈની ગાય સાપનાં દંશથી મરી જાય છે. આથી ખેડૂત અને તેની સાથે કેટલાંક અન્ય ગ્રામજનો ગાયને દાટી દેવા માટે ગામને સીમાડે જઈ રહ્યા હોય છે. એ સમયે રસ્તામાં કહળસંગ દેખાય છે. આ લોકોમાં કેટલાંક કહળસંગનાં વિરોધીઓ પણ હોય છે. આથી કહળસંગની પરીક્ષા લેવા તેઓ ખેડૂતને ઉશ્કેરે છે. ખેડૂતને તેની ગાય કહળસંગ પાસે સજીવન કરાવવા માટે કહે છે. Must Read : ગુરુ નાનક અહીં કહળસંગની પરીક્ષા હતી. તેમણે મન ન્હોતું માનતું છતાં પણ લોકોનો તેમનાં પરથી વિશ્વાસ ઉઠી ન જાય એટલાં માટે પોતાનાં કમંડળમાંથી પાણીની અંજલિ લઈ ગાય પર છાંટી. ગાય સજીવન થઈ ગઈ. આ ઘટના આખાય ગામમાં ફેલાઈ ગઈ. કહળસંગનો દેહત્યાગ:- ગાય તો સજીવન થઈ ગઈ, પરંતુ કહળસંગ પોતાની સિદ્ધિનો આવો ઉપયોગ ક્યારેય ઈચ્છતા નહોતા. આથી તેમણે સમાધિ લેવાનું નક્કી કર્યું. તેઓ સ્વેચ્છાએ પોતાનો દેહ ત્યાગ કરવા તૈયાર થયા. તેમની સાથે પતિવ્રતા નારી એવાં ગંગાસતીએ પણ સમાધિ લેવાની ઈચ્છા વ્યકત કરી. પરંતુ કહળસંગે તેમને આમ કરતાં રોક્યા. તેમણે એમને યાદ અપાવ્યું કે પાનબાઈમાં અધ્યાત્મ સંચાર કરવું અને એમને શિક્ષા આપવી એ એમની ફરજ છે. આથી પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાઈ જવાની આજ્ઞા કરી. ગંગાસતીએ પતિનાં આ શબ્દો માથે ચઢાવી એનું પાલન કર્યું. કહળસંગે દેહત્યાગ કર્યા બાદ ગંગાસતીએ પાનબાઈનું શિક્ષણ શરુ કર્યું. કહળસંગે વિક્રમ સંવત 1950નાં પોષ મહિનાની પૂનમે સમાધિ દ્વારા દેહત્યાગ કર્યો. ગંગાસતીનાં ભજનો:- પાનબાઈને શિક્ષણ આપવા માટે દિવસે એટલે કે વિક્રમ સંવત 1950નાં ફાગણ સુદ આઠમનાં રોજ દિવસ