У нас вы можете посмотреть бесплатно #અંજારની или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#અંજારની શાળા નંબર ૧૬ માં માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી... #માભોમની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી... #પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે જયારે આજના યુવાનો વેલેન્ટાઈન ડે, ચોકલેટ ડે, વગેરે ઉજવી પોતાનો કીમતી સમય વેડફી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિના સનાતન વિચારો સમાજમાં ફેલાય, યુવાનો તેમજ બાળકો આપણી સંસ્કૃતિની નજીક આવે અને જીવનમુલ્યોની સમજ કેળવે તેમજ સંસ્કારોને સાચા અર્થમાં જીવનમાં ઉતારી પરિવાર, સમાજ અને દેશ માટે કઈક કરી છૂટે એવા આશયથી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૬ માં ૧૪મી ફેબ્રુઆરીના દિવસને માતાપિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ નાં રોજ પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થનાર દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત માતાપિતાની વંદના કરતા ગીત, મા-બાપને ભૂલશો નહીથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ દવે દ્વારા આજના દિન વિશેષનું મહત્વ તેમજ આપણા પુરાણ ગ્રંથોમાં માતા પિતાને જે સન્માન આપવામાં આવ્યું છે તે પ્રસંગો દ્વારા આપણે આપણા બાળકને આપણી સનાતન સંસ્કૃતિ તરફ લઇ જવાના છે એ તરફ દિશા નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ શાળાનાં આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા તેમની સાથે ઉપસ્થિત રહેલ માતા પિતાની સાત પ્રદક્ષિણા કરી, કુમકુમ તિલક વડે સ્વાગત કરી ફૂલ હાર તેમજ પૂજાથાળથી આરતી ઉતારી ચરણસ્પર્શ કરી માતાપિતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ રીતે સંપૂર્ણ ભારતીય પરંપરા મુજબ શાળાના બાળકો દ્વારા માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આગળના કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની સૈયદ તસ્લીમ અને જેઠવા પ્રાચી દ્વારા જીવનમાં માતાપિતાનું મહત્વ અને બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સમર્પણના વિષય પર પોતાના વિચારો રજુ કર્યા હતા. સાથે સાથે રાઠોડ જાનવી દ્વારા પોતાની સ્પીચમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈ છાયા દ્વારા માતૃદેવો ભવ,નાં જયઘોષ સાથે બાળકના ઘડતરમાં માબાપનું કેટલું બલિદાન રહેલું છે તે વાતને હદયસ્પર્શી રીતે રજુ કરી હતી. તો શ્રી મગનભાઈ કન્નડ દ્વારા પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી એક સૈનિક માટે તો ધરતીનું અને ભારતમાતાનું રક્ષણ જ માતૃભક્તિ છે એવું જણાવી માતાપિતા પૂજન દિવસ અને શ્રદ્ધાંજલિ દિવસની અભિન્નતા રજુ કરી હતી. કાર્યક્રમના અંતમાં બે મિનીટ મૌન પાળી શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશભક્તિ અને સંસ્કારોને સિંચન કરતા આ ઉત્સવમાં શાળા SMC ના શિક્ષણવિદ શ્રી વેલજીભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા 40 જેટલા બાળકોના માતા પિતા દ્વારા પણ પોતાનો કીમતી સમય ફાળવી સંસ્કારોનું સિંચન કરતા આ કાર્યક્રમમમાં હાજરી આપી કાર્યક્રમ અને ઉજવણીના ઉદેશને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. સમગ્ર શાળા પરિવાર દ્વારા આ અવસરને સફળ બનાવવા પૂરતી જહેમત અને જવાબદારી ઉઠાવવામાં આવી હતી. #અહેવાલ, પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા.