У нас вы можете посмотреть бесплатно Shanidev Tample Hathala | Porbandar Tourism | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી બધી વખત થયો છે અને થતો જ રહેવાનો છે !!!! ભાણવડથી પાછતરડી એક રસ્તો ગડુ-દુઘાળા તથા હાથલા તરફ ફંટાય. હાથલા ગામને અડીને લગભગ દોઢેક ખેતરવા શનિદેવનું રક્ષિત મંદિર છે. તેમાં કાળભૈરવ- શનિદેવ- પનોતી અઢી વર્ષ- પનોતી સાડા સાત વર્ષ એમ સિંદુર ચડાવેલી ભિન્ન ભિન્ન મૂર્તિઓ છે. મૂર્તિના જ સાનિઘ્યમાં ઐતિહાસિક શનિદેવ જે સૈકાઓથી ત્યાં બિરાજમાન છે. જગ્યાની સ્વચ્છતા દાદ માગી લે તેવી છે. યાત્રીઓની સુવિઘા માટે પુજારીએ એક છાપરા જેવું બનાવેલું, તેનો કોર્ટમાં પુરાતત્વ વિભાગે મંજૂરી વિના ફેરફાર કરવા અંગે કોર્ટમાં કેસ કરેલો તેવું મેં સાંભળ્યું છે. આમા તો મૂળ સ્થળમાં કોઇજ પરિવર્તન થયું નથી. પરંતૂ આ તાલુકાના એક ગામ ઝીણાવારીમાં ઐતિહાસિક ભવ્ય સૂર્ય મંદિરમાં આશરે સીતેર- એકોતેર ની સાલ આસપાસ મેં રકતરંગી સૂર્ય નારાયણ જોવા મળેલાં. વર્ષો પછી જયારે ત્યાં નાનકડું રામલલ્લાનું મંદિરમાં તે તબદીલ કરાયેલું પછી આ મંદિર સામે ડાબા હાથે એક પૂરાતન વાવ છે. સામે જ સ્મશાન છાપરીમાં સ્ટીલના પલંગ છે. જમણી બાજુ એક તલાવડી છે. પ્રથમ નજરે આઠથી દશ ફુટ ઉંડી હોઇ શકે. જમણી તરફ ત્યાં એક વાછરા ડાડાનું મંદિર છે. જયાં શ્રઘ્ઘાળુઓ આજે પણ એન્ટિરેબીટ ઇજેકશન લેવા છતાં પગે લગાડવા અચુક જાય છે જ. સૈકાઓથી ચાલીઆવતી આ પ્રણાલિકા છે. તેની બાજુમાં જ શીતલા મંદિર છે. આમ, હિંદુસ્તાનની ભૂમિ પર કંઇક નામી અનામી ઇતિહાસ કંડારાયેલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિજયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આથી આ ઐતિહાસિક સ્થળે શનિશ્વરી અમાસ નિમિત્તે વહેલી સવારથી જ શનિભકતો ઉમટી પડે છે. શનિદેવના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે. ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ અહીં નજરે પડે છે. દૂર-દૂરથી ભક્તોએ અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે તો કેટલાય લોકો પોતાની પનોતી ઉતારવા કે શનિદોષમાંથી મુક્તિ મેળવવા શોધે છે. ભારતભરમાં હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે કે જ્યાં સ્ત્રીઓ સહિત ભક્તો પોતાની જાતે ભગવાનની પુજા-અર્ચના કરી શકે છે. આ હાથલા ગામમાં ઇતિહાસની દ્દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. ઈ.વ.ની છઠ્ઠી -સાતમી સદીનાં મૂર્તિ, શનિકુંડ પુરાતત્વ દ્વારા રક્ષિત છે. હાલ આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે. શનિકુંડ ઊંડો છે. આ કુંડમાં કોસ અને રેંટ ચાલી શકે અને પગથિયાથી અંદર ઉતરી શકાય તેવી રીતે બાંધવામાં આવ્યો છે. હાલના આ શનિદેવ અને શનિકુંડ જેઠવાઓના ઘુમલી રાજથી કેટલાય સમય પહેલાના મૈત્રકકાલીન સમયનો હોય શકે. જેઠવાઓના સમયમાં જેઠવાઓ અને જાડેજાઓની લડાઇઓ આ વિસ્તારમાં બહુ થઈ છે તેના કારણે આ વિસ્તાર ઉજજડ થઈ જતાં ૨૦૦-૨૫૦ વર્ષ સુધી અહીં લોકો દર્શને આવેલ નથી. હાલના બરડા ડુંગરનું શ્રૃષિકાલિન જુનું નામ બટુકાચળ અને તેમના જંગલનું નામ પીપ્પલાવન હતું. ત્યારે આ સ્થળનું નામ હસ્તિનસ્થલ, મધ્યકાળમાં હસ્થથલ, અને અત્યારનું આપણું હાથલા નામ છે. અહીં હાથલાનો અર્થ શનિદેવ હાથી ઉપર બિરાજે છે એવો થાય છે. હાથલાના અવશેષો ૧૫૦૦ વર્ષથી પણ જુના છે. શાસ્ત્રોકત રીતે શનિદેવનાં દશ નામો, દશ વાહનો અને દશ પત્નીઓ છે. તેમાંથી એક નામ આ સ્થળના વનના નામ ઉપરથી પિપ્પલાશ્રય અને વાહન હાથીની સવારી તે અહીની જ છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી ઉપર નથી. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે. શનિદેવ ન્યાય કરવામાં કોઈની પણ લાગવગ ચલાવતા નથી. તેથી આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગા ભાઈ થાય છે. આ કારણે યમુના સ્નાનથી યમની, અને તાપી સ્નાનથી શનિદેવની નડતર દુર થાય છે. મુગદ્દલ શ્રૃષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કરેલ હતા. આ ઋષીએ આ સ્થળે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે જુદા જુદા સ્તોત્રની રચના કરી છે. તેમાંથી શનિમાનસ પૂજા સ્તોત્ર થોડા ફેરફાર સાથે આજે પણ પ્રખ્યાત છે. આ શનિદેવના દર્શને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે આવેલા છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રુપાળીબા તથા જામનગરના રાજમાતા શ્રી ગુલાબકુંવરબા આવેલાં છે. આ સ્થળે બ્રાહ્મણો દ્વારા શનિ મૃત્યુ જય યજ્ઞ અને ચારણો દ્વારા શનિ માનસ ગાન થયેલ છે. હાલમાં ગુજરાત સરકારે શનિદેવ સ્થાનના વિકાસ માટે 2-3 કરોડ ગ્રાંટની જોગવાઈ કરી છે.