У нас вы можете посмотреть бесплатно Sant Mahatma Muldas | Smartha Sant Muldas ji | Mahatma Muldas Jivan katha | Amreli tourist places | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
મૂળદાસ (૧૬૭૫-૧૭૭૯) નરસિંહ મહેતાની હરોળના જાણીતા સંતકવિ છે. તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં વિ.સં. ૧૭૩૧ કારતક સુદ ૧૧ને સોમવારના રોજ થયો હતો. પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઇ. ગોંડલના લોહલંગરીબાપુ તેમના ગુરુ હતા. શીલદાસ, હાથીરામ અને જદુરામ નામે તેમના શિષ્યો થયા હતા. જામનગરના રાજા રાવળજામે પણ તેઓને પોતાના ગુરુ પદે સ્થાપ્યા હતા અને કંઠી બંધાવી હતી. ૩૦૦થી વધુ વર્ષ પૂર્વે સંવત ૧૭૬૮માં તેમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો. તેઓના જીવન સાથે અનેક ચમત્કારો પણ વણાયેલા છે. તેમજ તેઓના ઉતકૃષ્ઠ જીવનના પાસાને ઉજાગર કરતી કેટલીક ઘટનાઓ આજે પણ લોકમુખે ભૂલાઇ નથી. તેઓના કેટલાક ભજનો અને ગીતો આજે પણ જાણીતા છે અને ઘરે ઘરે ગવાય છે. અમરેલીમાં તેમનો આશ્રમ અને ત્યાં તેમની સમાધી આવેલા છે. એક વખત રાતના સમયે આશ્રમ પાસે એક સ્ત્રી કૂવામાં પડવા માટે આવી, તેના પેટમાં કોઇનું સંતાન હતું જેના પિતા તરીકે તે તે વ્યક્તિનું નામ આપી શકે તેમ નહોતી. મહાત્માએ તેને મરતા અટકાવી અને પિતા તરીકે પોતાનું નામ આપવા જણાવ્યું. બીજાનું કલંક પોતાના ઉપર લઈ લીધું. આ વાત જાહેર થતા અમરેલીના લોકોએ અવળા ગધેડે બેસાડીને તેમને શહેરમાં ફેરવ્યાં. બાદમાં સત્ય બહાર આવતા માફી માગી. આ સ્ત્રીને જે સંતાન થયું તેનું નામ રાધા હતુ. આ રાધાના પુત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા સંત મુક્તાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. પત્ની વેલુબાઈનુ અવસાન થતા (સં.૧૭૭ર, ઇ.સ.૧૭૧૬) તેમણે વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. તેમણે સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે જીવતા સમાધી જેને ચૈતન્ય સમાધિ કહેવાય તે લીધી હતી.