У нас вы можете посмотреть бесплатно A Black day | Anandji Kalyanji pedhi | 45 lakh package for Non serieus Community или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
*સ્પષ્ટીકરણ અંગે રચનાત્મક પ્રશ્નો અને મુદ્દાસર રજૂઆત*:- આ લેખ કોઈ પણ પેઢી અથવા યાત્રિકો વિરુદ્ધ નથી. પેઢી પ્રત્યે કોઈ દ્વેષભાવ નથી. પેઢીને સાથે રાખીને અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે અને સૌએ પેઢીને સમર્થન આપ્યું છે તથા આપીએ છીએ. આવા સંજોગોમાં વધુ ટ્રાન્સપરન્સી (પારદર્શિતા) આવશ્યક બને છે. મુખ્ય પ્રશ્નો અને અસંગતતાઓ 1. કુલ 6 વ્યક્તિઓ હાજર હતા, જેમાંથી બાકીના 5 વ્યક્તિઓએ ધોતી–કુર્તા વગેરે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા – તો પછી મુદ્દો ખાસ એક વ્યક્તિ પૂરતો કેમ બની રહ્યો છે? 2. જો તમામ પ્રક્રિયા યોગ્ય અને નિયમ મુજબ હતી, તો ગઈકાલે પેઢીના બે ટ્રસ્ટીઓએ “અમારી ભૂલ થઈ છે” કહી માફી કેમ માંગી? 3. સ્પષ્ટીકરણમાં માત્ર શ્રી આદિશ્વર પરમાત્માના ગભારા અંગે જ વાત કેમ ઉલ્લેખાઈ છે? જો સમગ્ર ગઢમાં જ પ્રોટોકોલ જળવાયો હોત, તો સ્પષ્ટ લખી શકાય તેમ હતું કે *બધે સંપૂર્ણ પ્રોટોકોલ મેઈન્ટેઈન થયો હતો*. માત્ર એક સ્થળનો ઉલ્લેખ શું સૂચવે છે? 4. કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો છે એવી જાહેરાત ગઈકાલે કેમ કરવામાં આવી? સ્પષ્ટીકરણમાં કોન્ટ્રાક્ટ રદ કરવાની વાતનો ક્યાંય ઉલ્લેખ કેમ નથી? 5. જે સમગ્ર વીડિયોગ્રાફી થઈ*, તેની તમામ રીલ્સની *કસ્ટડી પેઢીએ લઈ લીધી છે – આ બાબત સ્પષ્ટીકરણમાં કેમ જણાવાઈ નથી? 6. જો પેઢીની મંજૂરી હેઠળ જ તમામ કાર્ય થયું હતું, તો: ગઈકાલે જ્યારે શ્રી મિતુલભાઈ પેઢીની તળેટીની સિક્યુરિટી ઓફિસમાં ફરિયાદ કરવા ગયા, ત્યારે જ CCTV ફૂટેજ કેમ ન બતાવાયું? ત્યાં CCTV એક્સેસ હાજર છે જ. 7. પેઢીએ આ ફિલ્મિંગ / વીડિયોગ્રાફી શા હેતુથી કરાવી? કયા પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી થઈ રહી છે? આ વિગતો હજી સુધી જાહેર કેમ કરવામાં આવી નથી? 8. જ્યારે વડોદરા અને અમદાવાદમાં અનેક પ્રસિદ્ધ અને અનુભવી ક્રિએટિવ કંપનીઓ ઉપલબ્ધ છે*, તો ખાસ *મુસ્લિમ કંપનીને જ કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? 9. કુલ 6 વ્યક્તિઓમાંથી: મુસ્લિમ સ્ટાફ કેટલો હતો? ફારૂકભાઈ કોણ હતા? બાકીના 5 વ્યક્તિઓ પણ મુસ્લિમ હતા? તેમની ચોક્કસ ભૂમિકા શું હતી? 10. શ્રી મિતુલભાઈ eye-witness (પ્રત્યક્ષદર્શી સાક્ષી) છે. તેમનું સ્પષ્ટીકરણ લેવુ અત્યંત આવશ્યક છે. તેઓ વારંવાર FIR કયા મુદ્દે કરવાની વાત કરતા હતા? 11. જે વિડિઓઝ સામે આવ્યા છે: શું એ બધા લોકો દ્વારા AI નો ઉપયોગ કરીને બનાવેલા ખોટા વિડિઓઝ છે? જો હા, તો સાચા અને અસલી ફૂટેજ જાહેર કેમ નથી કરવામાં આવતા? 12. પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સ્પષ્ટ મનાઈ છતાં તેમનું વીડિયોગ્રાફી કેમ કરવામાં આવ્યું? 13. જો બધું જ વ્યવસ્થિત અને નિયમસર હતું, તો: આટલી મોટી બબાલ ઊભી થવાની જરૂર શા માટે પડી? ફરિયાદ કરનાર યાત્રિકોને ગઈકાલે જ માંગેલ તમામ CCTV ફૂટેજ બતાવી દેવાયા હોત, તો મુદ્દો ત્યાં જ પૂર્ણ થઈ જાત અને વાત આગળ વધત જ નહીં. 14. ગઈકાલે: CCTV ફૂટેજ રિવાઇન્ડ કરીને બતાવાયા કેમ નહીં? સતત ભૂલ કબૂલતી નિવેદનો કેમ આપવામાં આવ્યા? 15. સ્પષ્ટીકરણમાં એક પણ જગ્યાએ ભૂલની કબૂલાત કે ખેદ વ્યક્ત કરાયો નથી – આ બાબત ગંભીર ચિંતા ઉપજાવે છે. અંતિમ સ્પષ્ટતા જો આશાતનાના *eye-witness પાસેથી સંપૂર્ણ સત્ય લોકો સમક્ષ આવે*, તો વિરોધ તરત જ શાંત થઈ જશે – આ બાબત નિર્વિવાદ છે. લોકો દાદા પરની અપાર શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિથી પ્રેરાઈને અવાજ ઉઠાવી રહ્યા છે; પેઢી પ્રત્યે કોઈ દ્વેષભાવથી નહીં. લોકોની આ જાગૃતિ અને સંવેદનશીલતા પ્રશંસનીય છે અને તેની *અનુમોદના થવી જોઈએ*.